SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કનો માર્ગખોટો જ છે કે ખરાબ જ છે એવું તો હું તને નહીં કહું પણ તથ્ય સુધી પહોંચવા માટે એ જ માર્ગ સાચો છે કે સારો છે એ પણ હું તને નહીં કહું. દોરડું ખાલી ઘડાને કૂવાના પાણી સુધી લઈ જાય છે જરૂર પરંતુ એ ખાલી ઘડો પાણીથી ભરાઈ જાય છે જ્યારે ? પાણી સામે ઝૂકી જાય છે ત્યારે ! હાથમાં પકડેલ દોરડા પરની પકડ ઢીલી કરવામાં આવે છે ત્યારે ! ગુજરાતીમાં એક કહેવત છે ને કે તમારે જો રોટલા સાથે જ નિસ્બત છે તો ટપટપની ચર્ચામાં પડવાની લાંબી જરૂર નથી. મારે તને આ જ વાત કહેવી છે. તું જે અંતઃકરણને પ્રિય એવા તથ્ય સુધી પહોંચવા માગે છે તો મનને પ્રિય એવા તર્કના રુક્ષ રસ્તા પર જ ચાલતા રહેવાની તારે જરૂર નથી. બાકી, તને તારી બુદ્ધિનો બહુ ફાંકો હોય તો રાતના સૂઈ ગયા પછી તને સવારે ઉઠાડે છે કોણ? એનો તર્કબદ્ધ જવાબ શોધી લાવ!
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy