SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ તેં પત્રમાં જે કાંઈ લખ્યું છે એ તો મનની માગ છે, અંતઃકરણની નહીં, અને યાદ કરાવી દઉં તને આ વાત કે મનની માગને આધીન બની જવા માટે તારે વધુ ને વધુ પશુતા તરફ ધકેલાતા જ રહેવું પડશે. દુનિયા ચાહે કૂતરાની હોય કે ગધેડાની, ડુક્કરની હોય કે શિયાળની ત્યાં તને ભસવાની, કરડવાની, લાતો મારવાની કે આક્રમણો કરવાની ચેષ્ટાઓ સિવાય બીજું કશું ય લગભગ જોવા નહીં મળે. માનવના ખોળિયે પણ તું જો એ જ ચેષ્ટાઓ કરવા માગતો હોય અને તારી જાતને ‘પશુ’ પુરવાર કરવા માગતો હોય તો મારે તને કશું જ કહેવાનું રહેતું નથી. પણ, માનવના ખોળિયે તું જો દેવ બની જવા માગતો હોય તો મારે તને એટલું જ કહેવું છે કે હાથ તું ભલે કોકને જ આપી શકે પણ પગ તો કોઈના ય ખેંચીશ નહીં. કારણ કે હાથ આપવા માટે પ્રોત્સાહિત કરતું અંતઃકરણ પ્રભુની પ્રશંસાનો વિષય બનતું હોય છે જ્યારે પગ ખેંચવા માટે પ્રોત્સાહિત કરતું મન તો સજ્જનોના જગતમાં થૂ થૂ જ થતું હોય છે. સાવધાન! ८०
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy