SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ સાહેબ, આપના જ કોક પુસ્તકમાં મેં વાંચ્યું હતું કે મકાનના થાંભલાઓ એક-બીજા વચ્ચે સલામત અંતર રાખે છે તો જ મકાનટકી શકે છે. ભૂલેચૂકે થાંભલાઓ જો એકદમ નજીક આવી જાય તો મકાનનું ટકવું સર્વથા અસંભવિત જ બની જાય. આપની આ વાત મારા હૈયાસોંસરવી ઊતરી ગઈ છે અને મેં એ જ અભિગમ સાથે જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. દુશ્મનોથી તો હું સલામત અંતર રાખતો જ હતો પણ હવે મિત્રોથી પણ હું સલામત અંતર રાખવા લાગ્યો છું. પરિચિતો અને સ્વજનો સાથે પણ એવો જ વ્યવહાર મેં શરૂ કરી દીધો છે. પણ, મારા આવા વ્યવહારના કારણે હું એકલો પડી જતો હોઉં એવું મને લાગ્યા કરે છે. જાણવું તો મારે એ છે કે હું કોઈ ગલત રસ્તે તો નથી ચડી ગયો ને? નિર્મળ, દૂધપાકનું વિષ્ટામાં રૂપાંતરણ કરી દેવામાં શરીરનો જેમ કોઈ જોટો નથી તેમ અર્થનો અનર્થ કરતા રહેવામાં મનનો ય કોઈ જોટો નથી, થાંભલાઓ વચ્ચેના સલામત અંતરની વાત મેં જડ પદાર્થો પ્રત્યેની આસક્તિના સંદર્ભમાં ૭૩
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy