SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ સાહેબ, જીવનનાં આટલાં વરસોના અનુભવોએ એક વાત મને સમજાવી દીધી છે કે ભયભીત મનોદશા એ મોતનું જ બીજું નામ છે. સંપત્તિ આપણી પાસે વિપુલ હોય પણ મન જો ભયગ્રસ્ત જ રહ્યા કરે છે તો એ વિપુલ સંપત્તિનું કરવાનું શું? રહેવાની જગા ભલે આલીશાન છે પણ મન જો કોક અજ્ઞાત ભયનું શિકાર બનેલું છે તો એ આલીશાન જગાનું કરવાનું શું? પણ, હમણાં હમણાં આપનાં પુસ્તકોમાં એક જગાએ મારા વાંચવામાં આવ્યું કે ‘સકારાત્મક ભય એ આપણા જીવન વિકાસનું મૂળ છે’ હું આપને એટલું જ પૂછવા માગું છું કે શું આપ ખુદ ભયના હિમાયતી છો? નિર્ભય, તને એક મહત્ત્વના સિદ્ધાંતની કદાચ ખબર નથી લાગતી. જેનાથી આપણને ભય હોય છે એના પર તો પ્રેમ કરવાનો પ્રશ્ન જ નથી; પરંતુ જેના પર આપણને પ્રેમ હોય છે એનાથી તો આપણે ભયભીત રહેવાનું જ છે. ૬૯
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy