SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા જીવો ખંડ-૩ જડ વિજ્ઞાન પાંચ પ્રકારનાં એક ઈન્દ્રિયવાળા જીવોની વાત કરી. હવે બે, ત્રણ, ચાર અને પાંચ ઈન્દ્રિયવાળા જીવોનું જે અદ્ભુત વિભાગીકરણ કર્યું છે તેને સંક્ષેપમાં જોઈએ. બે ઈન્દ્રિય (સ્પર્શ-રસન)વાળા જીવો: શંખ, કોડા, પેટમાં થતા કૃમિ, જળો (ખરાબ લોહી પીતી), અળસિયાં, લાળિયા જીવ (વાસી અન્નમાં ઉત્પન્ન થતાં), મેહરિ (લાકડામાં થતાં કીડા), પોરા (પાણીમાં થતાં), ચૂડેલ, છીપ વગેરે. ત્રણ ઈન્દ્રિય (સ્પર્શ-રસન-ધ્રાણ)વાળા જીવો : કાનખજૂરા, માંકડ, જૂ, કીડી, ઊધઈ, મંકોડા, ઈયળ, ઘીમેલ (ખરાબ ઘીમાં થતા કીડા), સવા (વાળના મૂળમાં થતા જીવો) , વિષ્ઠા અને છાણના કીડા, ધનેરા, કુંથુઆ, ચાંચડ વગેરે. ચાર ઈન્દ્રિય (સ્પર્શ-રસન-ધ્રાણ-ચક્ષુ)વાળા જીવો : વીંછી, બગાઈ, ભમરા, તીડ, માખી, ડાંસ, મચ્છર, કંસારી, કરોળિયો, પતંગિયા વગેરે. પાંચ ઈન્દ્રિય (સ્પર્શ-રસન-ધ્રાણ-ચક્ષુ-શ્રોત્ર)વાળા જીવો : દૈવ, મનુષ્ય, તિર્યંચ (કૂતરા, બિલાડાં, સાપ વગેરે) અને નારક. ‘માંકડને કેટલી ઈન્દ્રિય છે ? લાવ જરા માંકડને પકડી સૂક્ષ્મદર્શક યંત્રમાં મૂકીને જોઈ લઉં,’ આવો જેમને વિચાર ન હતો, આવી જેમની કોઈ પ્રક્રિયા ન હતી, કશું જ ન હતું, છતાં માંકડને ત્રણ ઈન્દ્રિય, ભમરાને ચાર ઈન્દ્રિય વગેરે વાતો જેમણે કરી તે શી રીતે કરી ? અંતર પુકારી ઊઠે છે કે, જરૂર એ સર્વજ્ઞ જ હોવા જોઈએ, આવું સર્વાગીણ સત્ય પુકારનાર ભગવાન જિનને વૈજ્ઞાનિકોનું માથું ફરી એકવાર કેમ ઝૂકી ન જાય ! વિભાગ પહેલો ત્રણ અસ્તિકાય અને કાળ બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા જીવો ૧૭૩ ૧૭૪ વિજ્ઞાન અને ધર્મ
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy