SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઓછું ભણેલા લોકો પણ કારોબારમાં પરાક્રમ કરી શકે છે નવભારત ટાઈમ્સ : તા. ૪/૬૦૦ ભણતર, ગણતર અને ઘડતર એ ત્રણેય જુદી ચીજ છે એ વાત આજના યુવામાનસમાં ઠસાવવી અતિ મુશ્કેલ બની ગઈ છે. આજના યુવાનો તો એમ જ માની બેઠા છે કે જો તમારી પાસે ભણતર છે તો તમારી પાસે બધું જ છે. વ્યવહારકુશળતા પણ તમારી પાસે છે અને ચાલાકી, હોશિયારી, અક્કલ પણ તમારી પાસે છે. લોકપ્રિયતા પણ તમારી પાસે છે અને કોઠાસૂઝ પણ તમારી પાસે છે; પરંતુ હકીકત આખી જુદી જ છે. ભણતર મૃતિ આધારિત છે. ગણતર સંસ્કાર આધારિત છે અને ઘડતર ઔચિત્ય આધારિત છે. દેખાય છે એવું પણ કે ભણતરમાં પાછળ રહેલ જૂની પેઢીના કેટલાક લોકો કોઠાસૂઝના આધારે ક્યાંના ક્યાં પહોંચી ગયા છે ! અરે, માત્ર પાંચ ચોપડી ભણેલા શેઠિયાઓને ત્યાં ઍન્જિનિયરો અને ડિગ્રીધારીઓ નોકરી માટે આંટા લગાવી રહ્યા છે ! ભણતર, ગણતર અને ઘડતર, એ ત્રણેયનો સંગમ જેમના જીવન આંગણે રચાયો હોય એવા યુવાનો કેટલા?
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy