SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ઇત્યાદિ આદેશ માંગવો. તે પછી બે ખમાસમણથી સજ્ઝાયના આદેશ માંગે. પછી પડિક્કમણ કરી બે ખમાસમણથી બહુવેલના આદેશ માંગે. તે પછી એક ખમાસમણ દઇ પડિલેહણું કરેમિ એમ કહે. તથા મુહપત્તિ, પાઉંછણ અને ધોતિયું પડિલેહે. શ્રાવિકા હોય તો મુહપત્તિ, પાઉંછણ, ઓઢેલું કપડું, કાંચળી (ચોળી) અને ચણિયો પડિલેહે. (ઓઘો પાદપુંછણ કહેવાતું. એના ઉપર વીંટાળેલું કપડું (ઓઘારિયું) આસન તરીકે ઉપયોગમાં આવતું... પણ હવે ઓઘો અને આસન જુદા હોય છે. તેથી હવે પાઉંછણથી શ્રાવકમાટે ચરવળો અને કટાસણું એવો અર્થ ક૨વો મને ઉચિત ભાસે છે.) પછી એક ખમાસમણ દઇ FT khej rYeieJetlef[unCe f[une/sએમ કહે, તે પછી FT b કહી સ્થાપનાચાર્યને પડિલેહી સ્થાપીને એક ખમાસમણ દેવું. ઉપધિ મુહપત્તિની પડિલેહણા કરી પછી બે ખમાસમણ સહિત ઉપધિ પડિલેહણના આદેશ માંગે. પછી વસ્ત્ર, કાંબળીવગેરે પડિલેહી પૌષધશાળા પ્રમાર્જ કાજો ઉપાડીને પરઠવે. તે પછી ઇર્યાવહિયા કરી ગમનાગમનેનો પાઠ બોલી એક ખમાસમણ દઇ બધા શ્રાવકો માંડલીમાં (ગોળાકારે) બેસી સાધુની જેમ સ્વાધ્યાય કરે. પછી પોણી પોરિસી થાય ત્યાં સુધી ભણે, ગણે અથવા પુસ્તક વાંચે. પછી એક ખમાસમણ દઇ મુહપત્તી પડિલેહી કાલ વેળા થાય ત્યાં સુધી પૂર્વની જેમ સ્વાધ્યાય કરે. દેવવંદન કરવાના હોય તો આવસહી કહી દેરાસર જઇ દેવવંદન કરે. જો આહાર કરવો હોય, તો પચ્ચક્ખાણ પારવાનો સમય આવ્યે એક ખમાસમણ દઇ મુહપત્તિ પડિલેહી પાછું એક ખમાસમણ દઇ કહે કે, Haj elenb of me j co[{«J Gnanej kokD fennej kolDesJe Dume JeSCDmyeue Canej Ch Je pe koteF JI IS આ રીતે કહી; દેવ વાંદી, સજ્ઝાય કરી, ઘરે જઇ, જો ઘર સો હાથ કરતાં વધારે દૂર હોય તો ઈર્યાવહિયા કરી ગમનાગમને બોલી સંભવ હોય તે પ્રમાણે અતિથિસંવિભાગ વ્રત સાચવે. પછી સ્થિર આસને બેસી, હાથ, પગ તથા મોં પડિલેહી એક નવકાર ગણી પ્રાસુક આહાર રાગ-દ્વેષ વિના વાપરે અથવા પૂર્વે કહી રાખેલા સ્વજને પૌષધશાળામાં લાવેલો આહાર વાપરે. પરંતુ સાધુની જેમ ભિક્ષા-ગોચરીમાટે ઘરે-ઘરે ફરે નહીં. પછી પૌષધશાળાએ જઇ ઈરિયાવહી પડિક્કમી દેવ વાંદી વાંદણા દઇ તિવિહારનું અથવા ચોવિહારનું પચ્ચક્ખાણ કરે. જો શરીરચિંતા (એકી -બેકીની શંકા હોય) તો Dlmme કહી સાધુની જેમ ઉપયોગ રાખી જીવરહિત શુદ્ધભૂમિએ જઇ વિધિપૂર્વક મળ-મૂત્રનો ત્યાગ કરી, શુદ્ધિ કરી પૌષધશાળાએ આવે. પછી ઈરિયાવહી પડિક્કમી એક ખમાસમણ દઇ કહે કે, ``FT ctlej Ce momen Yeielved iceCeieceCh DuG' પછી FT hકહે. (જો વસતીમાં જ પ્યાલામાં એકી-બેકી કરી હોય, તો) ``DJmmeF'' કહી વસતિથી પશ્ચિમ તથા દક્ષિણ દિશાએ જોઇને DepeCan pammej insએમ કહી સંડાસગ અને સ્થંડિલ પ્રમાર્જીને વોસિરાવે. તે પછી mangકહીને પૌષધશાળામાં જાય અને Depth (આવતા-જતા) ph Ki[3palej hDtlmmeter teotel[એમ કહે. પછી પાછલો પહોર થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. પછી એક ખમાસમણ દઇ પડિલેહણનો આદેશ માંગે. બીજું ખમાસમણ દઇ પૌષધશાળા પ્રમાર્જવાનો આદેશ માંગે. પછી શ્રાવકે મુહપત્તિ, પુંછણું અને પહેરવાનું વસ્ત્ર પડિલેહવું અને શ્રાવિકાએ મુહપત્તિ, પુંછણું, ચણિયો, કાંચળી અને ઓઢેલું વસ્ત્ર પડિલેહવું. પછી સ્થાપનાચાર્યની શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૨૩
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy