SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભવતી હરણીને હણી, તેનો ગર્ભ જુદો પાડી પોતાના ખભાતરફ દૃષ્ટિ કરતા (અભિમાન કરતાં) નરકગતિનું આયુષ્ય બાંધ્યું. પાછળથી તેને ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત થયું, તો પણ તે આયુષ્ય ટળ્યું નહીં. અન્યદર્શનમાં પણ પર્વતિથિએ સ્નાન-મૈથુનવગેરેની ના કહી છે. વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે – હે રાજેંદ્ર! ચૌદશ, આઠમ, અમાસ, પુનમ અને સૂર્યની સંક્રાંતિ એટલા પર્વ કહેવાય છે. જે પુરુષ આ પર્વોમાં તેલ વાપરે, સ્ત્રી ભોગવે અને માંસ ખાય, તે પુરુષ મરણ પામીને વિમૂત્રભોજન નામની નરકે જાય. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે – સ્નાતક (વિદ્વાન-પવિત્ર) બ્રાહ્મણ અમાસ, આઠમ, પૂનમ, ચૌદશ અને અમૃતમાં હંમેશા બ્રહ્મચારી હોય. તેથી પર્વદિવસે પુરી શક્તિથી ધર્મકરવો. અવસરે કરેલું અલ્પ પણ ધર્મકાર્ય અમાપ ફળવાળું બને છે. જેમકે અવસરે કરેલાં થોડાં પણ ભોજન-પાણી ઘણી તાકાત આપે છે. વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે – શરદઋતુમાં પીધેલું પાણી, પોષ - મહા મહીનામાં કરેલું ભોજન, જેઠ - અષાઢ મહીનામાં લીધેલી ઊંઘ આ ત્રણ પર માણસ આખું વરસ (શાંતિથી) જીવે છે. વર્ષાઋતુમાં મીઠું, શરદઋતુમાં પાણી, હેમંત ઋતુમાં ગાયનું દૂધ, શિશિર ઋતુમાં આમળાનો રસ, વસંત ઋતુમાં ઘી અને ગ્રીષ્મ ઋતુમાં ગોળ અમૃત સમાન છે. પર્વનો મહિમા એવો છે કે – તેથી પ્રાયે અધર્મીને પણ ધર્મકરવાની, નિર્દયને પણ દયા કરવાની, નિયમ-પચ્ચકખાણ વિનાના લોકોને પણ નિયમ-પચ્ચકખાણ લેવાની, કૃપણ લોકોને પણ ધન વાપરવાની, કુશીલ પુરુષોને પણ શીલ પાળવાની અને કોઇ કાળે તપસ્યા નહીં કરનારને પણ તપસ્યા કરવાની બુદ્ધિ થાય છે. આ વાત હાલમાં પણ બધા ધર્મોમાં દેખાય છે. તેથી જ કહ્યું છે - જે પર્વોના પ્રભાવથી નિર્દય અને અધર્મી પુરુષોને પણ ધર્મ કરવાની બુદ્ધિ થાય છે, એવા સંવત્સરી અને ચોમાસી પર્વો જેણે આરાધ્યા, તે પુરુષનો જય થાઓ. તેથી પર્વ દિવસે પૌષધવગેરે ધર્માનુષ્ઠાન જરૂર કરવાં. તેમાં પૌષધના ચાર પ્રકાર વગેરે વાત અર્થદીપિકામાં કહી છે. પૌષધવ્રતના ભેદો અને તેની વિધિ ૧. અહોરાત્રિ પૌષધ, ર. દિવસ પૌષધ અને ૩. રાત્રિ પૌષધ એમ ત્રણ પ્રકારના પૌષધ છે. તેમાં અહોરાત્રિ પૌષધનો એ વિધિ છે કે :- શ્રાવકે જે દિવસે પૌષધ લેવો હોય તે દિવસે ઘરસંબંધી બધી પ્રવૃત્તિ છોડી પૌષધના ઉપકરણ લઇ પૌષધશાળાએ અથવા સાધુ પાસે જવું. પછી અંગનું પડિલેહણ કરી એકી-બેકીની ભૂમિ પડિલેહવી. તે પછી ગુરુ પાસે અથવા નવકાર ગણી સ્થાપનાચાર્યની સ્થાપના કરી ઇરિયાવહી પડિક્કમે. પછી એક ખમાસમણાથી વંદન કરી પૌષધ મુહપત્તિ પડિલેહે. uleg R$ 244124H131 ESS Gul 4st sé }, F eketej se mehmen Yei eleved Hemenb meiomedeste. $zl 245 244124431 EES se, F e metto. Hasmenbbelece artH sel 19512 ouell 241 4804 Livel uls old. kelj ste Yebes! HoemenbDenej HeemenbmelJeDeesomeDeesje, mej aj mekeketej Hemen melJeDees yevepoeg Heemenb melJeDees Deljedej Hasenb melJeDees GdJens Heemens pete pede Denej Ĉeb Heppedcmedte, ogenbeledenCebceccable3eeS keleSCah ve kelj ste ve kełej Jeste lemme Yelles Hef[kekelcente dreombe ied neke, DtheCebleshej atce પછી મુહપત્તિ પડિલેહી બે ખમાસમણાં દઇ સામાયિક લે, ફરી બે ખમાસમણાં દઇ જો ચોમાસું હોય તો લાકડાના પાટલાનો અને બાકીના આઠ માસ હોય તો કટાસણાઅંગે બેસણે સંદિસામિ ૨૨૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy