SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સાપને વશમાં ન રાખી શકે એ માણસને સાપ મારી નાખે એ તો સાંભળ્યું છે અને સાપને વશમાં રાખી શકે એ માણસ સાપ દ્વારા પોતાની આજીવિકા ચલાવી શકે એ ય સાંભળ્યું છે; પરંતુ મનને જે વશમાં ન રાખી શકે એ વ્યક્તિને મન એ હદે બરબાદ કરી નાખે છે કે જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય અને મનને જે વશમાં રાખી શકે એ વ્યક્તિને મન એ હદે ન્યાલ કરી દે છે કે જેનું ય શબ્દોમાં વર્ણન ન કરી શકાય એ ય સમજી લેવા જેવું છે. વાંચ્યું છે આ વાક્ય ? “મનનું માન્યું, મર્યા! મનને માર્યું જીત્યા !' ડાહ્યા કરતા ગાંડો વધારે સુખી દેખાતો હોય તો ય મને ક્યારેય એવો વિચાર ન આવે. કે ડાહ્યા રહેવા કરતા ગાંડા રહેવું વધુ સારું પણ, | ધર્મી કરતા પાપી વધુ સુખી દેખાય એટલે તરત જ મારા મનમાં આ વિચાર ઝબકવા લાગે કે ધર્મી બન્યા રહેવા કરતા પાપી બન્યા રહેવું વધુ સારું! કમાલ છે ને ?
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy