SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત પરમાત્મા કે ગુરુ ભગવંતો આ જગતની સર્વોત્તમ વ્યક્તિઓ (વસ્તુઓ) છે તો આપણને તેમની પ્રાપ્તિનો આનંદ સર્વોત્કૃષ્ટ કોટિનો થવો જોઈએ. આ આનંદ એ જ મોટુ સુખ છે. તેથી જ પૂર્વે જણાવ્યુ કે પરમાત્મા પ્રત્યેનું અને ગુરુ પ્રત્યેનું બહુમાન એ જ જગતનું સર્વશ્રેષ્ઠ સુખ છે. આથી જ પંચસૂત્રમાં ગુરુબહુમાનને મોક્ષમાં અવંધ્યકારણ હોવાના કારણે જ મોક્ષ કહ્યો. વળી ગુરુ-બહુમાનથી સુંદર કોઈ પણ વસ્તુ નથી. એમ કહ્યું છે ઃ ન ફ્લો સુંવર પર, જીવમા ત્થ ન વિપ્નદ્’ ગુરુ બહુમાનના સુખને જણાવવા માટે કોઈ ઉપમા આ વિશ્વમાં મળી શકે તેમ નથી (તેવુ અનુપમ છે) વગેરે જણાવ્યુ. આગળ વધતાં ત્યાં સુધી કહ્યુ કે ગુરુના બહુમાનના ભાવવાળો પરિણામવાળો, વર્ધમાન ગુરુબહુમાનની પરિણતિવાળા સાધુની પ્રત્યેક મહિને NA NO (99) SL N T ON * ઉપાસનારૂપી વ્યવહારનો લોપ કરીને એકાંત નિશ્ચય પર ભાર મૂકે છે. બસ ! મનને શુદ્ધ રાખો, આત્મદર્શન કરો, પરમાત્મદર્શન કરો વગેરે જણાવે છે તે તેમનો મત મિથ્યા છે ગુરુના માધ્યમ વિના પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ ત્રણે કાળમાં ક્યારેય થતી નથી. આ જણાવવા માટે પંચસૂત્રકારે ગુરુબહુમાનનો અત્યંત મહિમા બતાવ્યો છે. આમ ટૂંકમાં દેવ અને ગુરુ સર્વશ્રેષ્ઠ છે તેથી તેમના પ્રત્યેના બહુમાનનો પરિણામ એ જ સર્વ શ્રેષ્ઠ સુખ છે. આપણે પણ જેમ જેમ દેવ-ગુરુ પ્રત્યેનું બહુમાન આદરભાવ ભક્તિ વગેરે વધારીશ તેમ-તેમ મહાન આંતરિક સુખનો આનંદનો અનુભવ થશે. અહીં બીજી એક મહત્ત્વની વાત વિચારવાની છે. પ્રભુ ભક્તિ બે પ્રકારની છે. (૧) દ્રવ્યભક્તિ (૨) ભાવભક્તિ LOL N© (૭૯) L0L તેર્જાલેશ્યા (એટલે ચિત્તના સુખની પરિણતિ) દેવોના સુખને ઓળંગતી જાય છે છેલ્લે બાર મહિનાના અંતે અનુત્તરવાસી દેવની પણ તેજોલેશ્યા (ચિત્તના સુખની પરિણતિ)ને ઓળંગી જાય છે. અહિ પરમાત્માના બહુમાનને બદલે ગુરુબહુમાન જણાવ્યુ છે તેમાં અંતર્ગત પરમાત્માનું બહુમાન સમજી લેવાનું છે અથવા ગુરુબહુમાનથી પરમાત્મા પ્રત્યે બહુમાન ઉત્પન્ન થવાનું ટીકાકારે જણાવ્યુ છે. “મુતત્વન માલવડાનાત્'' ટીકાના આ શબ્દો જ ગુરુ બહુમાનથી પરમાત્માના બહુમાનની પ્રાપ્તિ થવાનું જણાવે છે. અહીં ગુરુબહુમાનનો આટલો બધો મહિમા અને પ્રભાવના વર્ણનની પાછળ એક સ્પષ્ટ આશય જણાય છે કે ગુરુબહુમાન વિના પરમાત્મા પ્રત્યેના બહુમાનની પ્રાપ્તિ થતી નથી. ગુરુબહુમાન વિના પરમાત્માનો સંયોગ પણ થતો નથી, આથી આજે કેટલાક એકાંતવાદીઓ જે ગુરુની ܘܘ (9) ܩ ܧ ܗ દ્રવ્યમક્તિ એટલે પરમાત્માની ઉત્તમ દ્રવ્યોથી પૂજા, જિનમંદિરના નિર્માણ, જીર્ણમંદિરોના ઉદ્ધાર, પ્રતિમાજીના નિર્માણ વગેરે..... ભાવ ભક્તિ એટલે પ્રભુની આજ્ઞાનું પાલન, સંયમ, બાર પ્રકારનો તપ, વગેરે દ્રવ્યભક્તિ કરતા ભાવભક્તિ બળવાન છે. કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજાએ પણ ફરમાવ્યુ છે., વીતરાગ ! સપર્યાયાસ્તવાજ્ઞાપાતનું પરમા आज्ञाराद्धा विराद्धा च, शिवाय च भवाय च ।। " “હે વીતરાગ તમારી પૂજાથી તમારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે. આજ્ઞાની આરાધના અને વિરાધના મોક્ષ માટે અને ભવ માટે થાય છે.'' પરમાત્માની આજ્ઞાની આરાધનાથી મોક્ષ. પરમાત્માની આજ્ઞાની વિરાધનાથી સંસાર. પરમાત્માની આજ્ઞાનું સ્વરૂપ પણ ત્યાં બતાવ્યુ OL NL NO (૮૦) : 04
SR No.008929
Book TitleRushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2008
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size267 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy