SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ રાગ-દ્વેષના સહાયક સહયોગી રહે છે. તેઓ પોતાનું મન, પોતાનું વચન અને પોતાનું તન-ત્રણેયને રાગ-દ્વેષના પૂર્ણ સહયોગમાં કામે લગાડે છે! આઠેય પ્રકારનાં કર્મ બાંધવાનું રાગ-દ્વેષનું કાર્ય સારી રીતે કરાવે છે. દુષ્ટ-અધમ વિચારો, કર્કશ અને કટુ વચનો, હિંસાદિ પાપોનું પ્રચુર આચરણ. આ ચંડાળચોકડીના સહયોગથી રાગ અને દ્વેષ કર્મોના બંધનમાં નિમિત્ત બને છે. અર્થાત્ આત્મામાં જ્યાં સુધી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને યોગ છે, ત્યાં સુધી રાગ-દ્વેષ દ્વારા આત્મા ગાઢ કર્મબંધ કરે છે. જ્યાં સુધી આત્મા સર્વજ્ઞભાષિત તત્ત્વાર્થ પર શ્રદ્ધાવાન નથી બનતો, ત્યાં સુધી એના રાગ-દ્વેષ અતિ પ્રબળ હોય છે, તેથી તે ગાઢ કર્મબંધ કરતા રહે છે. અવિરતિનો ઉદય આત્માને પાપોનો ત્યાગ કરવાની ભાવના જાગ્રત થવા દેતો નથી, પાપત્યાગની પ્રવૃત્તિ ક૨વા દેતો નથી... એટલે આત્મા નિરંતર અનંત કર્મોથી મલિન થતો જ રહે છે. પ્રમાદ તો આત્માને ખૂબ જ ગમે છે. વિષયલોલુપતા, ઇન્દ્રિયપરવશતા, વિકથા-પ્રચુરતા અને નિદ્રા-પ્રિયતામાં એવો લીન બની જાય છે કે એને ભાન જ નથી હોતું કે ‘હું ચીકણાં કર્મ બાંધી રહ્યો છું.' મન-વચનકાયાના યોગ તો આ ત્રણેયને અનુસરે છે, ત્રણેયને મન-વચન-કાયાની શક્તિ આપે છે..... આત્મા એ શક્તિથી મિથ્યાત્વ-અવિરતિ અને પ્રમાદને પુષ્ટ કરો ગાઢ કર્મબંધ કરતો રહે છે. રાગ-દ્વેષ એકલાનું કંઈ ઊપજતું નથી; એ તો ચંડાળચોકડીના સહારે જ કૂદે છે. એ સહારો તોડી નાંખવામાં આવે તો રાગ-દ્વેપ મહાન ઉપકારક બની જાય છે. મિથ્યાત્વનો સંગ ત્યજી જો એ સમ્યકૃત્વનો સહારો લે, અવિરતિનો સંગ ત્યજી વિરતિ સાથે પ્રેમ બાંધે, પ્રમાદને ત્યજી દઈ અપ્રમાદને મિત્ર બનાવે તો રાગ-દ્વેષ આત્માને ન્યાલ કરી દે! મન-વચન-કાયા, આત્માના પવિત્ર સહયોગમાં આવી ગયા પછી ઉન્નતિનું પૂછવું જ શું!! કર્મબંધ આઠ પ્રકારે सज्ज्ञान- दर्शनावरण- वेद्य-मोहायुषां तथा नाम्नः । गोत्रान्तराययोश्चेति कर्मबन्धोऽष्टधा मीलः ।। ३४ ।। અર્થ : કર્મબંધ મૂળરૂપે આઠ પ્રકારનો થાય છે : (૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) વંદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર, અને (૮) અન્તરાય. વિવેન : રાગ અને દ્વેષથી થતા મૌલિક કર્મબંધને અહીં ગ્રંથકાર બતાવે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને યોગના સહયોગથી રાગ-દ્વેષ મૌલિક For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy