SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૨ પ્રશમરતિ ગ્રન્થરચનાની દૃષ્ટિએ. એ મહાપુરુષની દૃષ્ટિએ ‘મેં કરેલી ગ્રન્થરચના સંક્ષિપ્ત છે...જેવી જોઈએ તેવી સુંદર નથી...' એવું લાગ્યું હશે, અથવા હું મારી ગ્રન્થરચનાને શ્રેષ્ઠ...સુંદર કેમ કહું? એવું કહેવામાં તો ઉદ્ધતાઈ છે...' માટે તેમણે ‘પ્રશમતિને' જીર્ણ કોડી જેવી કહી હોય! જેમ કોઈ શ્રીમન્ત સજ્જન, પોતાના વિશાળ અને સુંદર બંગલામાં આવવાનું નિમંત્રણ કોઈ મોટા માણસને આપતાં કહે છે : ‘મારી ઝૂંપડીને પાવન કરો...!' એ પોતાના ભવ્ય બંગલાને ઝૂંપડી કહે છે, એવી રીતે કોઈ વિનમ્ર શ્રીમન્ત કોઈ શુભ કાર્યમાં લાખ રૂપિયા આપતાં કહે છે : 'મારી આ તુચ્છ રકમનો સ્વીકાર કરો!' એ લાખ રૂપિયાને તુચ્છ રકમ કહે છે...આવી જ રીતે ગ્રન્થકારે પોતાના ગ્રન્થને ‘જીર્ણ કોડી’ કેમ ન કહી હોય! તેઓ કહે છે : ‘મેં ભક્તિથી પ્રેરિત થઈને, જિનશાસનરૂપ સાગરમાંથી આ ધર્મકથા ઉષ્કૃત કરી છે.' તેઓએ ગ્રન્થના પ્રારંભમાં પણ ‘તમવિcાર્પિતયા...‘ શબ્દોથી આ વાત કરી છે, પરંતુ એ ભક્તિ તેઓએ, તેઓના પહેલાં થઈ ગયેલા મહાન્ શ્રુતધર મહર્ષિઓ તરફ પ્રદર્શિત કરી છે, જ્યારે અહીં ગ્રન્થના અંતે તેઓ ચરમ તીર્થંકર પરમાત્મા મહાવીરદેવ તરફ પ્રદર્શિત કરે છે. જે પરમાત્માનું ધર્મશાસન પામીને તેઓ સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગને આરાધી શક્યા, તે પરમાત્મા પ્રત્યે હૈયું કૃતજ્ઞતાથી ઊભરાય, તે સ્વાભાવિક છે. તે પરમાત્માના ધર્મશાસન સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા| ત૨ફ કૃતજ્ઞતા અભિવ્યક્ત કરે, તે ઉચિત જ છે. ‘મત્સ્યા’ શબ્દનો આ એક અર્થ થાય છે. બીજો અર્થ પણ થઈ શકે છે : ‘ગુણદોષના જ્ઞાતા સજ્જનોએ ભક્તિથી આ ધર્મકથિકા [પ્રશમરતિ સાંભળીને [ભવન્ત્યા શ્રુત્વા ધર્મથિમિમાં] દોષો [જો આ પ્રશમરતિમાં દેખાય તો. ત્યજીને થોડા પણ ગુણ [પ્રશમરતિમાંથી ગ્રહણ કરવા જોઈએ.' શાસ્ત્રરચના કરવામાં પારંગત વિદ્વાનો, શાસ્ત્રરચનાના ગુણદોષોના જ્ઞાતા હોય છે. ગુણ-દોષને શોધી કાઢી, તેની સમાલોચના કરવામાં કુશળ હોય છે. મોટા ભાગે, બીજાના રચેલા શાસ્ત્રમાંથી દોષો શોધીને તેની કટુ આલોચના કરવાનું દૂષણ વ્યાપકરૂપે જોવા મળે છે. આવા વિદ્વાનો ગુણો જોઈને, ગુણોને ગ્રહણ કરી શકતા નથી. માટે ગ્રન્થકાર મહર્ષિ તેઓને કહે છે : ‘હું સજ્જનો, આ ધર્મકથિકામાં તમને ગુણ અને દોષ બંને દેખાશે. સંપૂર્ણ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy