SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ00. પ્રશમરતિ આત્મામાં સમ્યગ્દર્શનનો ગુણ પ્રગટ થયા પછી, એ સદ્ગૃહસ્થ યથાશક્તિ, હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર કરવાની ઇચ્છા કરે છે. એ ગૃહસ્થોચિત વ્રત અને નિયમો (શીલ) ને જાણે છે, સમજે છે. અનિત્યાદિ બાર ભાવનાઓના ચિંતનથી એનામાં વ્રતનિયમ ગ્રહણ કરવાનું બળ પ્રગટે છે. એનો મનોભાવ દઢ બને છે. જ હિંસા આદિ પાંચ પાપોમાં ઐહિક આપત્તિ અને પારલૌકિક અનિષ્ટનું દર્શન કરે છે. » ‘હિંસા આદિ દોષોમાં દુઃખ જ છે,' એમ વારંવાર ભાવના ભાવે છે. પ્રાણીમાત્રમાં, મૈત્રીભાવના, ગુણાધિક મનુષ્યોમાં પ્રમોદભાવ, દુઃખી થતા જીવોમાં કરુણા-ભાવના અને અવિનીત-કુપાત્રોમાં માધ્યમથ્યવૃત્તિ કેળવે છે. આ જગતના સ્વભાવનું અને શરીરના સ્વભાવનું ચિંતન કરી, સંવેગ અને વૈરાગ્યને પુષ્ટ કરે છે. ગૃહસ્થોચિત બાર વ્રત : ૧. સ્થૂલ પ્રાણાતિપાતથી વિરતિ : “પ્રાણાતિપાત' એટલે હિંસા. "પ્રમાદથી થતા પ્રાણવધને હિંસા કહેવામાં આવી છે. ગૃહસ્ય-જીવનમાં સૂક્ષ્મ જીવો (પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવો)ની હિંસા વર્જવી શક્ય ન હોવાથી, સ્કૂલ (બંઇન્દ્રિયાદિ જીવો) જીવોની હિંસા વર્જવાનું આ પહેલું વ્રત છે. અથવા સ્થૂલનો તાત્પર્યાર્થ “સંકલ્પ હિંસા છે. “આ જીવોને મારું' આવો સંકલ્પ તે સ્થલ પ્રાણાતિપાત કહેવાય. આ સંકલ્પપૂર્વક હિંસા નહીં કરવાનું, આ પહેલું વ્રત છે. સ્થૂલ પ્રાણનાશની વૃત્તિ અને પ્રવૃત્તિ ઓછી થતાં વ્યક્તિગત જીવનમાં અને સામુદાયિક જીવનમાં શાન્તિ અને સુખ પ્રવર્તે છે. એમ કરતાં પ્રમત્તયોગરૂપ સુક્ષ્મ હિંસાનો પણ ત્યાગ સહજ બને છે. સ્થલ હિંસાના ત્યાગનું વ્રત લીધા પછી, નીચેની પાંચ સાવધાની રાખવી જ જોઈએ. १६६. हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् ।। - तत्त्वार्थे० ७/१ १६७. हिंसादिष्विहामुत्र चापयावद्यदर्शनम्। दुःखमेव वा । मैत्रीप्रमोदकारूण्यमाध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु । जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम ।। - તવાર્થે 9૪-૭ ૧૬૮. પ્રાયો IJતુ પ્રાધ્યાપકોઇ ફિરસ// - તસ્વાર્થેo 9૮ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy