SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૃહસ્થ માટેનો મોક્ષમાર્ગ ૪૯ મનુષ્ય લોકમાં જન્મીને, ફરીથી દુર્લભ એવી સર્વગુણોની સંપત્તિ પામીન, શુદ્ધ થયેલો તે આત્મા મોક્ષમાં જાય છે. આઠ ભવોમાં તો તે અવશ્ય સિદ્ધિ પામશે. વિવેન: જે મનુષ્ય ઘરવાસ ત્યજીને અણગાર નથી બની શકતો, મહાવ્રતોનું પાલન કરવા શક્તિમાન નથી હોતો, તે મનુષ્ય પણ મોક્ષમાર્ગનો યાત્રિક બની શકે છે, સદ્ગતિ પ્રાપ્ત કરી શકે છે અને પરંપરાએ.. શ્રમણજીવન જીવવાનું સામર્થ્ય મેળવીને...વધુમાં વધુ આઠ જન્મ આ સંસારમાં લઈને મોક્ષમાં જાય છે. ગૃહસ્થોચિત મોક્ષમાર્ગની આરાધનાનું સ્પષ્ટ માર્ગદર્શન ગ્રન્થકારે અહીં આપ્યું છે. | સર્વપ્રથમ સર્વજ્ઞ-વીતરાગનાં વચનોમાં દઢ શ્રદ્ધાવાનું બનવું પડે. જિનવચનમાંજિનપ્રવચનમાં શ્રદ્ધા ત્યારે જન્મે કે જ્યારે એ ગૃહસ્થ જિનવચનોને જાણે. જિનવચનોને જાણ્યા વિના, એ વચનોનો સ્વીકાર ન થઈ શકે. “સ્તવ સંસારરવું પ્રર્વવન' સંસારસાગરથી પાર ઉતારનારું આ જ જિનવચન છે -આવો નિર્ણય એણે કરવાનો હોય છે. બહુ સારી રીતે જિનવચનોને જાણવાનાં છે. એટલે ગ્રન્થકારે સુવિદ્રિતાર્થ :' શબ્દનો પ્રયોગ કર્યો છે. જાણીને એના પર દઢ શ્રદ્ધા સ્થાપિત કરવાની છે, એટલે “ જિત' શબ્દ પ્રયોજ્યો છે. જિનવચનોને, સર્વજ્ઞભાષિત મોક્ષમાર્ગને જાણવા-સમજવા માટે એ સદ્દગૃહસ્થ મહાનું મૃતધર જ્ઞાની પુરુષોનાં ચરણોમાં બેસી વિનયપૂર્વક અધ્યયન કરવું જોઈએ. પોતાની જેટલી બુદ્ધિ હોય, એ અનુસાર અધ્યયનના ઊંડાણમાં જવું જોઈએ. યથાર્થરૂપે પદાર્થોનો નિર્ણય કરવાની અભિરુચિ. જિનવચનોના શ્રવણવાંચનમાં મનુષ્યને પ્રેરિત કરતી રહે છે. એ અભિરુચિથી જ જિનવચન-નિષ્ઠા ઉત્પન્ન થાય છે. આસ્તિકતાનો શુભ ભાવ આત્મામાં પ્રગટ્યા પછી એ આત્મામાં બીજા ચાર શુભ ભાવો ઓછાવત્તા પ્રમાણમાં પ્રગટ્યા વિના ન રહે. ૧. દુ:ખી જીવોનાં દુઃખ દૂર કરવાની ઇચ્છા જાગે, ૨. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ ઘટે, ૩, સંસારનાં બંધનોનો ભય અને મોક્ષ તરફ પ્રીતિ જાગે, ૪, રાગ-દ્વેષની તીવ્રતા ઘટે. મિથ્યા માન્યતાઓના કદાગ્રહ ઉપશાન્ત થાય, અલબત્ત, આ સમ્યગુદર્શનનો નિર્મળ ભાવ ત્યારે પ્રગટે કે જ્યારે આયુષ્ય કર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ ‘અન્તઃ કોડાકોડી સાગરોપમ' થાય. સંસારનું પરિભ્રમણ (જન્મ-મૃત્યુ) “અર્ધ પુદ્ગલ-પરાવર્ત'ની અંદર શેષ રહ્યું હોય. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy