SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1y ૪૮૦. પ્રશમરતિ રા ૨૮૭ માં ગ્રંથકારે મ મ ત્રનુforીતિ' કહ્યું છે. સ્પર્શરહિત ઋજુ શ્રેણિથી આત્મા ઉપર જાય છે. અર્થાત્ સિદ્ધશિલાએ પહોંચવાના માર્ગમાં જે આકાશપ્રદેશો આવે છે તેને સ્પર્શ કર્યા વિના ગતિ કરે. આ ગતિનું નામ 'અસ્પૃશત નતિ છે. જો વચ્ચેના પ્રદેશોને સ્પર્શ કરતી ગતિ કરે તો એક સમયમાં સિદ્ધશિલા પર પહોંચી ના શકે. માટે તે વચ્ચેના આકાશપ્રદેશને સ્પશે નહીં. આ અંગે બીજા બે જુદા મત છે : ૧. મહાભાષ્યની ટીકામાં કહેવું છે કે જીવ જે આકાશપ્રદેશોને સ્પર્શીને રહ્યો હોય તે સિવાયના બીજા આકાશપ્રદેશને સ્પર્યા વિના ગતિ કરે છે. ૨. “પંચસંગ્રહ'ની ટીકામાં કહેવું છે કે “જેટલા આકાશપ્રદેશોને અવગાહીને જીવ અહીં રહેલો છે તેટલા જ આકાશપ્રદેશોને, ઊર્ધ્વ જતાં અવગાહતો જાય છે. આ ભિન્ન મંતવ્યો અંગે આપણે કોઈ ટિપ્પણી કરવી નથી, તત્ત્વ તો સર્વજ્ઞ જાણે! પ્રશમરતિ ના ટીકાકાર આચાર્યનો મત પંચસંગ્રહ'ની ટીકાનો અને મહાભાષ્યની ટીકાની તરફેણમાં છે. તેમણે કહ્યું છે કે : ૧ રવીવાદપ્રવેશાત્ પ્રવેશોત્તર પૃશતીત્યપુત્યુ વ્યતે | ઈષપ્રાભાા ' પૃથ્વી જન્મ-જરા-મરણ-રોગથી સર્વથા મુક્ત બનેલો આત્મા લોકના અગ્રભાગે ગયેલો, વિમલ એવા સિદ્ધિક્ષેત્રમાં સાકારોપયોગથી સિદ્ધ બને છે.' __ लेश्यामुक्त, योगमुक्त, कर्ममुक्त अने देहमुक्त बनेर मामा जन्म-जराમૃત્યુ-1 છે. હવે ચાર ગતિમાંથી કોઈપણ ગતિમાં એનો જન્મ ન થાય. જન્મ જ નહીં, પછી રોગ ક્યાંથી હોય? વૃદ્ધત્વ ક્યાંથી હોય? અને મૃત્યુ પણ ક્યાંથી હોય? જન્મ, જરા, મૃત્યુ અને રોગથી મુકત આત્મા સંસારમાં નથી રહી શકતો. ઊિર્ધ્વગમન કરતો તે આત્મા એક જ સમયમાં લોકા પહોંચી જાય છે. લોકના અગ્ર ભાગે અટકી જાય છે, અલાકમાં પ્રવેશી શકતો નથી. કારણ કે જીવ અને પુલની ગતિમાં સહાયક “ધર્માસ્તિકાય' દ્રવ્ય લોકાગ્ર સુધી જ હોય છે. ભલે આત્મા પરમ શુદ્ધ હોય અને અનન્ત શક્તિથી સંપન્ન હોય, છતાં ગતિસહાયક ધર્માસ્તિકાય વિના, સ્વતંત્રપણે ગતિ નથી કરી શકતો. લોક ચૌદ રાજલોક)ના અગ્રભાગે રુપwામ રા' નામની પૃથ્વી આવેલી છે. તે સિદ્ધભૂમિ છે. તiાસૂત્ર પવનસૂત્ર' માં આ પૃથ્વીનાં અનેક નામાં १५४. अत्र च अस्पृशन्ती सिद्धयन्तरालप्रदेशान् गतिर्यस्य सः अस्पृशद् गतिः । अन्तरालप्रदेशस्पर्शने हि नैकेन समयेन सिद्धिरिष्यते। तत्र च एक एव समयः, अतः अन्तराले समयान्तरस्याभावात् अन्तरालप्रदेशानामसंस्पर्शनम् । - औपपातिकसूत्र-टीकायाम् For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy