SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૫ યોગનિરોધ ચોથા સમયે, જ્યારે આત્મપ્રદેશો લોકવ્યાપી બને છે ત્યારે માત્ર કાર્પણ શરીર જ સક્રિય હોય છે. પાંચમા સમયે, જ્યારે આત્મપ્રદેશો સંકોચાય છે, મંથાનરૂપે થઈ જાય છે ત્યારે પણ કાર્મણ-કાયયોગ જ હોય છે. | છઠ્ઠા સમયે જ્યારે આત્મપ્રદેશો વધુ સંકોચાય છે ને કપાટરૂપે બને છે ત્યારે પુનઃ દારિક કાયયોગ સાથે કાર્મણ શરીર કામ કરે છે. સાતમા સમયે જ્યારે આત્મ-પ્રદેશો વધુ સંકોચાય છે ને દંડાકૃતિ બને છે ત્યારે પણ સ્થળ અને સૂક્ષ્મ, બંને શરીરો સક્રિય હોય છે. આઠમા સમયે જ્યારે આત્મપ્રદેશો શરીરસ્થ બની જાય છે, ત્યારે માત્ર દારિક કાયયોગ હોય છે. કાશ્મણ શરીર હોય તો ખરું જ, પરંતુ તે સક્રિય ન હોય. આ રીતે “સમુદ્ધાત” ના આઠ સમયમાં કાયયોગોનો વિચાર કરીને, ગ્રન્થકાર એ આઠ સમયોમાં આહાર-અનાહારની સ્પષ્ટતા કરે છે. શરીરરહિત બન્યા પછી તો આહારનો પ્રશ્ન રહેતો જ નથી. સંસારી-કર્મબદ્ધ-શરીરધારી જીવના માટે આહારનો પ્રસન્ન રહે છે. સમદુધાતના આઠ સમયોમાં ત્રીજા, ચોથા અને પાંચમા સમયે આત્મા અનાહારી હોય છે કારણ કે એ સમયોમાં માત્ર સૂક્ષ્મ શરીર જ સક્રિય હોય છે! આહારની જરૂર પૂલ શરીરને હોય છે! આ ત્રણ સમય સિવાયના પાંચ સમયમાં ઔદારિક શરીર સક્રિય હોય છે માટે ત્યાં આત્મા આહારી હોય છે. આહાર ગ્રહણ કરે છે. આહાર ગ્રહણ કરે છતાં કર્મપુદ્ગલ ગ્રહણ નથી થતાં!” યોગનિરોધ स समुद्घातनिवृत्तोऽथ मनोवाक्काययोगवान् भगवान् । यतियोग्ययोगयोक्ता योगनिरोधं मुनिरुपैति ।।२७८ ।। અર્થ : મન-વચન-કાયાના યોગવાળા તે કેવળી ભગવાન સમુદ્યાતથી નિવૃત્ત થઈને મુનિઓને યોગ્ય યોગોને કરતા યોગનિરોધ કરે છે. ૧૩૩. આહાર-અનાહાર માટે જુઓ પરિશિષ્ટ. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy