SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 315 ધર્મધ્યાનનું સ્વરૂપ ૪૩૫ સૂત્રાર્થનો સુપાત્રની આગળ ઉપદેશ કરવો. આમ કરવાથી ધર્મધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા બતાવવામાં આવી છે. ૧. અનિત્યભાવના, ૨. અશરણભાવના ૩. એકત્વભાવના ૪. સંસારભાવના. આ ચાર ભાવનાઓનું ચિંતન કરવાથી ધર્મધ્યાન ઉજ્વલ બને છે, આત્મસાત્ થાય છે. * ધર્મધ્યાનની ક્રમશઃ ચાર ચિંતનધારાઓ બતાવવામાં આવી છે : ૧. આજ્ઞાવિચય ૨. અપાયવિચય, ૩. વિપાકવિચય, અને ૪. સંસ્થાનવિચય. ૧. આજ્ઞાવિચય : ‘આપ્તપુરુષનું વચન તે જ પ્રવચન છે.' આ આજ્ઞા છે. તે આજ્ઞાના અર્થનો નિર્ણય કરવો તે ‘વિચય’ છે. ૨. અપાયવિચય : મિથ્યાત્વાદિ આસવોમાં, સ્ત્રીકથાદિ વિકથાઓમાં, રસ, ઋદ્ધિ અને શાતા-ગારવોમાં, ક્રોધાદિ કષાયોમાં, પરીષદ નહીં સહવામાં આત્માની દુર્દશા છે, નુક્સાન છે, તેનું ચિંતન કરીને, તેવો દૃઢ નિર્ણય હૃદયમાં સ્થાપિત કરવો. ૩. વિપાકવિચય : અશુભ અને શુભ કર્મોના વિપાક (પરિણામ) નું ચિંતન કરી, ‘પાપકર્મથી દુઃખ અને પુણ્યકર્મથી સુખ.' એવો નિર્ણય હૃદયસ્થ કરવો. ૪. સંસ્થાનવિચય : ષડ્-દ્રવ્ય, ઊર્ધ્વ-અધો-મધ્ય લોકનાં ક્ષેત્ર, ચૌદ રાજલોકની આકૃતિ વગેરેનું ચિંતન કરી, વિશ્વની વ્યવસ્થાનો નિર્ણય કરવો. શ્રી ‘આવશ્યકસૂત્ર'માં ધર્મધ્યાન ક૨વા ઇચ્છતા આત્માની યોગ્યતાનું પ્રતિપાદન આ પ્રમાણે કરવામાં આવ્યું છે : जिणसाहूगुणकित्तणसंसणाविणयदाणसंपण्णो । सुअसीलसंजमरंओ धम्मज्झाणी मुणेयव्वो । ૧. શ્રી જિનેશ્વર દેવના ગુણોનું કીર્તન અને પ્રશંસા કરનાર ૨. નિર્પ્રન્થ મુનિજનોના ગુર્ણાનું કીર્તન-પ્રશંસા કરનાર, તેમનો વિનય કરનાર, તેમને વસ્ત્ર-આહારાદિનું દાન દેનાર. ૩. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં નિરત. પ્રાપ્ત થયેલા શ્રુતજ્ઞાનથી આત્માને ભાવિત ક૨વાના લક્ષવાળો. ૪. શીલ-સદાચારના પાલનમાં તત્પર, અને ૫. ઇન્દ્રિયસંયમ તથા મનઃસંયમ કરવામાં લીન. ११३. धम्मस्स णं झाणरस चत्तारि अणुप्पेहाओ अनित्यत्याशरणत्वैकत्वसंसारानुप्रेक्षाः । औपपातिक सूत्रे - For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy