SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સવ સુખી કોણ? ૪૨૩ અસ્વસ્થ બનવાનું નથી. એટલું મનોબળ તમારે કેળવવાનું છે કે ભિક્ષા વિના પણ થોડા દિવસ તમે સ્વસ્થ રહી શકો અને સંયમધર્મનું પાલન કરી શકો. માન-સન્માનની આશા ત્યજી દેજો. આદર-સત્કારની આશા છોડી દેજો. પ્રિય વચનોની આશાનો ત્યાગ કરજો. અનુકૂળતાઓની આશા ન રાખશો. કરેલા ઉપકારના બદલાની આશા ન રાખશો. બસ, આટલી પાંચ વાતો જો તમારા જીવનમાં વણાઈ ગઈ, તો અહીં જ તમને મોક્ષ મળી ગયો, એમ માનજો. આ “મોક્ષદશા' પ્રાપ્ત થયા પછી લોકાંતે રહેલા મોક્ષને મેળવતાં વાર નહીં લાગે. સવ્વ મુખી કોણ? शब्दादिविषयपरिणाममनित्यं दुःखमेव च ज्ञात्वा । ज्ञात्वा च रागद्वेषात्मकानि दुःखानि संसारे ।।२३९ ।। स्वशरीरेऽपि न रज्यति शत्रावपि न प्रदोषमुपयाति । रोगजरामरणभयैरव्यथितो यः स नित्यसुखी ।।२४०।। અર્થ : જે આરાધક શબ્દ આદિ વિષયોના પરિણામને અનિત્ય અને દુઃખરૂપ જાણીને તથા સંસારમાં રાગદ્રયાત્મક દુઃખાને જાણીને, પોતાના શરીરમાં પણ રાગ નથી કરતો અને શત્રુ પ્રત્યે પણ પ નથી કરતો તે, રોગ-વૃદ્ધત્વ અને મૃત્યુથી અવ્યથિત હોય છે અને તે સર્વદા સુખી હોય છે. વિવેવન : વ્યથારહિત મહાત્મા સદેવ સુખી હોય છે. એના આત્મપ્રદેશ પર સુખનું કલકલ નિનાદ કરતું ઝરણું વહેતું જ રહે છે. એ મહાત્માને ન હોય કોઈ રોગની વ્યથા, ન હોય વૃદ્ધત્વની ચિંતા કે ન હોય મૃત્યુનો ભય. એ રોગોને અશાતા-વૈદનીય કર્મનું ફળ સમજે છે, વૃદ્ધત્વને દેહનો એક પર્યાય માને છે.અને મૃત્યુને જીવન પરિવર્તનનો એક આંચકો માત્ર સમજે છે! આ સાચી સમજણ એ મહાત્માને વ્યથાથી વ્યાકુળ થવા દેતી નથી. જે મહાત્માને પોતાના શરીર ઉપર પણ રાગ ન હોય, એ મહાત્માને શારીરિક રોગોની વ્યથા કેમ જ હોય? એ તો શરીરને આત્માનું પ્રબળ બંધન માનતા હોય છે અને એ બંધનને તોડવાનો પુરુષાર્થ કરતા હોય છે. ધીર-વીર For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy