SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યગ્રદર્શન . ૩૮૭ જઘન્ય આત્મવિશુદ્ધિ અનંતગુણી હોય છે. આ આત્મવિશુદ્ધિ કરતાં પ્રારંભિક બીજા સમયની ઉત્કૃષ્ટ વિશદ્ધિ અનંતગુણી હોય છે. આ ક્રમે આત્મવિશુદ્ધ અનંતગુણી વધતી જાય. સંખ્યાની દ્રષ્ટિએ છેલ્લા સમયની વિશુદ્ધિ અનંતગુણી આવી જાય તે પછી ક્રમ બદલાઈ જાય છે. સંખ્યાની દૃષ્ટિએ છેલ્લા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ કરતાં, સંખ્યાતીત પહેલા સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગણી હોય છે. તેના કરતાં તેના પછીના સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી. .એના કરતાં ત્રીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી...આ ક્રમે અસંખ્ય સમય સુધી વિશુદ્ધિ વધતી જાય. “યથાપ્રવૃત્તિકરણ'નો કાળ અન્તર્મુહૂર્તનો હોય છે. એક અન્તર્મુહુર્તમાં અસંખ્ય સમય સમાય છે. અપૂર્વકરણમાં આત્મવિશદ્ધિનો ક્રમ જુદો છે, પ્રમાણ “અનંતગુણ સરખું છે. “યથાપ્રવૃત્તિકરણ'ના ચરમ સમયે જે ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ હોય તેના કરતાં અપૂર્વકરણના પહેલા સમયે જીવાત્માની જઘન્ય વિશુદ્ધિ અનન્તગુણી હોય છે! તેનાથી પહેલા જ સમયે ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ અનન્તગુણી હોય છે એિક જ સમયમાં જઘન્ય આત્મવિશુદ્ધિ કરતાં ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનન્તગુણ હોય છે! ‘સમય’ એવો સૂક્ષ્મ કાળ છે કે જેના બે ટુકડા ન થઈ શકે, એવા સૂમ કાળમાં પણ ફેવળજ્ઞાનની દૃષ્ટિ વિશુદ્ધિના બે ભેદ જુએ છે...જઘન્ય અને ઉત્કૃષ્ટ! અર્થાતુ, કાળ કરતાં પણ ભાવ વધુ સૂક્ષ્મ છે. જ્યાં કાળ વિભાજિત નથી થઈ શકતો ત્યાં ભાવ વિભાજિત થાય છે? પહેલા સમયે જે ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ હોય છે એના કરતાં બીજા સમયે જઘન્ય વિશુદ્ધિ અનન્તગુણ હોય છે. એના કરતાં બીજા સમયમાં જ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનન્તગુણ હોય છે. આ ક્રમે અપૂર્વકરણનો કાળ પૂર્ણ થાય. અપૂર્વકરણમાં આ રીતે આત્મવિશુદ્ધિનું પ્રમાણ વધતું જાય છે. એની સાથે સાથે જીવાત્મા “અ-પૂર્વ' એટલે કે પહેલાં ક્યારે પણ નહીં કરેલી ચાર વિશિષ્ટ ક્રિયાઓ કરે છે. આ સુમિ ક્રિયાઓ હોય છે : (૧) સ્થિતિઘાત (૨) રસઘાત (૩) ગુણશ્રેણિ, અને (૪) અપૂર્વસ્થિતિબંધ. આ ચાર અપૂર્વ ક્રિયા કર્યા પછી જીવ અનિવૃત્તિ-કરણ કરે છે. અનિવૃત્તિકરણ કરતા જીવની ઉત્તરોત્તર સમયે અનન્તગુણ વિશુદ્ધિ હોય છે. અહીં એક સમયમાં જઘન્ય-ઉત્કૃષ્ટના ભેદ નથી.) ६७. अपुवकरणसमग कुणई अपुय्ये इर्म उ चत्तारि। ठितिघायं रसघायं गुणसेढी बंधगद्धा य ।।११।। - पंचसंग्रहे। उपशमनाकरणे For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy