SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮. પ્રશમરતિ ચાર ગતિદિવ-નારક-મનુષ્ય-તિર્યંચ | માં રહેલા આવા કોઈ પણ જીવ મિથ્યાત્વ-મોહનીય, કર્મનો સર્વોપશમ કરવા સમર્થ બની શકે છે. મિત્વ મોહનીય કર્મને ઉપશમ થાય તો જ “સમ્યગ્દર્શન'-રૂ૫ આત્મવિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. તે ઉપશમ કરવાની પ્રક્રિયાનાં મુખ્ય ત્રણ ચરણ છે. ૧. યથાપ્રવૃત્તિ કરણ. ૨. અપૂર્વકરણ. ૩. અનિવૃત્તિકરણ. આ ત્રણ કરણોથી મિથ્યાત્વમોહનીય કર્મની જે ઉપશમના થાય છે તે ‘કરણકૃત ઉપશમના” કહેવાય. “અકરણ-ઉપશમના પણ થતી હોય છે, અર્થાત્ ત્રણ કરણ કર્યા વિના પણ મિથ્યાત્વનો ઉપશમ થતો હોય છે. જેમ પહાડી નદીના પથ્થરો સ્વયમેવ ગોળ થઈ જતા હોય છે એમ સંસારમાં ભટકી રહેલા જીવોને વેદન, અનુભવ આદિ કારણોથી પ્રશસ્ત અધ્યવસાય ઉત્પન્ન થાય અને એ અધ્યવસાયોથી મિથ્યાત્વનો ઉપશમ થાય. પ્રસ્તુતમાં આપણે ‘કરણકૃત ઉપશમનો વિચાર કરીશું. કરણ' એટલે સમયે-સમય પ્રતિ સમયે | ઉત્તરોત્તર અનન્ત-અનન્ત ગુણ વધતા આત્મપરિણામ. વિશુદ્ધિનો ક્રમ અને વિશુદ્ધિના પ્રમાણની અપેક્ષાએ કરણના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. સર્વજ્ઞ અને સર્વદર્શી એવા શ્રેષ્ઠ પુરુષોએ પોતાની પૂર્ણ દૃષ્ટિમાં આ આત્મપરિણામોનો, આત્માના અધ્યવસાયોનો ક્રમ અને એનું પ્રમાણ પ્રત્યક્ષ જોઈને જે કહેલું છે અને જેને આગમ-ગ્રંથોમાં સંગ્રહી લેવામાં આવ્યું છે, તેના આધારે આ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. જ્યારે જીવાત્મા યથાપ્રવૃત્તિકરણ કરવાનો પ્રારંભ કરે છે ત્યારે, કાળની અપેક્ષાએ પહેલા સમયે જે જઘન્ય ઓછામાં ઓછી વિશુદ્ધિ અિધ્યવસાયોની હોય છે તેના કરતાં ત્રીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણી હોય છે. આમ સંખ્યાત ગણિતની છેલ્લી સંખ્યા સુધી) સમય સુધી વિશુદ્ધિનો ક્રમ અને પ્રમાણ વધતાં જાય તે પછી ક્રમ બદલાઈ જાય છે. છેલ્લામાં છેલ્લા સમયની (સંખ્યાની દષ્ટિએ) જે જધન્ય આત્મવિશુદ્ધ હોય એના કરતાં પહેલા સમયની યથાપ્રવૃત્તિકરણના પ્રારંભિક સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી હોય. આ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ કરતાં, સંખ્યાની દષ્ટિએ છેલ્લા સમય પછીના પહેલા સમયની ६६. पढमं अहापवत्तं बीयं तु नियट्टी तइयमणियहा।। अतोमुहुत्तियाइं उवसमअद्धं च लहइ कमा ।।५।। - पंचसंग्रहे/ उपशमनाकरणे For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy