SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 762 પ્રશમરતિ ૧૩. આહારક-શરીર : આ કર્મનો ઉદય ચૌદ પૂર્વોના જ્ઞાની મહર્ષિને હોય. તેઓ તીર્થંકરનું સમવસરણ જોવા, શંકાનું સમાધાન કરવા એક હાથ પ્રમાણનું આહારક શરીર બનાવીને તીર્થંકર પાસે જાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪. તેજસ-શરીર : આ કર્મના ઉદયથી આહાર પચાવનાર અને ‘તેજાલેશ્યા’ માં હેતુભૂત શરીરની પ્રાપ્તિ થાય. ૧૫. કાર્મણ-શરીર : સર્વ શરીરોનાં મૂળ કારણરૂપ અને આઠ કર્મોના વિકાસરૂપ ‘ફાર્મણ’ શરીર પ્રાપ્ત થાય. : ૧૬, ઔદારિક-અંગોપાંગ ઔદારિક શરીરનાં અંગોપાંગ મળે. ૧૭. વૈક્રિય-અંગોપાંગ : વૈક્રિય શરીરનાં અંગોપાંગ મળે. ૧૮. આહારક-અંગોપાંગ : આહારક શરીરનાં અંગોપાંગ મળે, ૧૯. વજ્ર-ઋષભ-નારાય-સંઘયણ : બે બાજુ મર્કટબંધ, ઉપર પાટો અને તેના પર ખીલી. આવો હાડકાંનો બાંધો આ કર્મના ઉદયથી મળે. ૨૦. સમચતુરસ સંસ્થાન ઃ પર્યંકાસને પલાંઠી વાળીને બેસતાં જે શરીરની ચારે બાજુ સરખી હોય તેવી શરીરાકૃતિ. ૨૧. શુભ વર્ણ : શરીરના શ્વેત, પીત અને લાલ રંગની પ્રાપ્તિ થાય. ૨૨. શુભ ગંધ : શરીરની ગંધ શુભ પ્રાપ્ત થાય. ૨૭. શુભ રસ ઃ શરીરનો સ્વાદ શુભ હોય, ૨૪. શુભ સ્પર્શ : શરીરનો સ્પર્શ હળવો, સુંવાળો અને પ્રિય હોય. ૨૫. અગુરુ-લઘુ : બહુ ભારે નહીં, બહુ હલકું નહીં, એવું મધ્યમ વજનદાર શરીર મળે. ૨૬. પરાઘાત : બળવાનને પણ જીતવા સમર્થ બને. ૨૭. શ્વાસોચ્છવાસ : શ્વાસોચ્છ્વાસ સુખરૂપ લઈ શકાય. ૨૮. આતપ : સૂર્યની જેમ પોતે શીતલ હોય અને બીજાને તાપ કરે, ૨૯. ઉદ્યોત : ચન્દ્ર જેવા શીતળ અને પ્રકાશવાળા શરીરની પ્રાપ્તિ થાય. ૩૦. શુભ-વિહાયોગતિ : હાથી-હંસ જેવી સારી ચાલ મળે, ૩૧. નિર્માણ : સુથારે ઘડેલી પૂતળીની જેમ અંગોપાંગ યોગ્ય સ્થળે ગોઠવાય. ૩૨. ત્રસ : બેઇન્દ્રિયાદિ શરીરની પ્રાપ્તિ થાય. ૩૩. બાદર : ચર્મચક્ષુથી જોઈ શકાય એવું મોટું શરીર મળે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy