SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ પ્રશમતિ જેમના જેમના મારા ઉપર ઉપકારો થયેલા છે અને થઈ રહ્યા છે, જેમનો જેમનો મને સાથ-સહયોગ મળે છે અને મારા જીવનમાં મને જેઓ સહાયક બન્યા છે અને બની રહ્યા છે, તેમના પ્રત્યે મારું કૃતજ્ઞતાભર્યું વલણ રહેશે અને ઔચિત્યપૂર્ણ વ્યવહાર રહેશે... છતાં મારું હૃદય સંસારના કોઈ સંબંધમાં ન બંધાઈ જાય, એ માટે હું સતત સાવધાન રહીશ. સર્વ સંબંધોથી પર...આત્માનો આત્મા સાથેનો સંબંધ જે આંતરસુખ આપે છે, તે આંતરસુખ અવર્ણનીય હોય છે. શુદ્ધ-બુદ્ધ-મુક્ત અનંત આત્માઓ સાથેનો આંતરસંબંધ, કે જે સંબંધ એમનું ધ્યાન કરવાથી બંધાય છે, તે સંબંધ અનંત આનન્દનો સ્રોત બની જાય છે. સંસારના સર્વ સંબંધોનું મિથ્યાત્વ સમજાવી સર્વજ્ઞ પરમાત્માએ મારા પર પરમ ઉપકાર કર્યો! સંસારના સંબંધોથી વિરક્ત બનવાની દિવ્ય જ્ઞાનદૃષ્ટિનું દાન આપી મારું પરમ હિત કર્યું. મારા અનેક ક્લેશો અને સંતાપો શમી ગયા. હૈતભાવજન્ય રાગ-દ્વેષના ઉછાળા શમવા લાગ્યા... અદ્વૈતભાવનો આસ્વાદ થવા લાગ્યાં..! આશ્ર-ભાવના मिथ्यादृष्टिरविरतः प्रमादवान् यः कषायदण्डरुचिः । तस्य तथाश्रवकर्मणि यतेत तन्निग्रहे तस्मात् । ११५७ ।। અર્થ : જે (જીવ) મિશ્રાદ્રષ્ટિ, અવિરત, પ્રમાદી તથા કપાય અને દંડમાં રુચિ વાળો છે તેને કર્મોનો આશ્રવ થાય છે, માટે તેનો નિરાશ કરવા (આશ્રવોને રોકવા) યત્ન ફરવો જોઈએ. વિવેચન : કર્મોથી બંધાયેલો છું અને નવાં કર્મોથી બંધાતો જાઉં છું... પૂર્વજન્મોમાં જ્યારે મારો જીવાત્મા ઘોર મિથ્યાત્વનાં ઘનઘોર વાદળોથી ઘેરાયેલો હતો, ત્યારે અનન્ત-અનન્ત પાપ કર્મોથી મારો જીવાત્મા ભરાઈ ગયો હતો. વર્તમાન જીવનમાં, પરમ કૃપાનિધિ પરમાત્માની નિઃસીમ કૃપા મારા પર વરસી, વાત્સલ્યવંત સદ્ગુરુ ઓંના આશીર્વાદ મારા પર વરસ્યા અને મિથ્યાત્વનાં ઘનઘોર વાદળ વિખરાયાં! સમ્યગ્દર્શનનો ઝગમગાટ કરતો સૂર્ય મારી આત્મભૂમિને અજવાળી રહ્યો! સર્વજ્ઞશાસને બતાવેલાં તત્ત્વો, કરાવેલા વિશ્વદર્શન તરફ મારા હૈયે શ્રદ્ધાના દીવા સળગ્યા, પરન્તુ તે છતાં મારાં પાપાચરણ ન છૂટયાં. હેય અને ઉપાદેયનાં બોધ હોવા છતાં હું હેયો-ત્યાજ્યનો ત્યાગ ન કરી શક્યો, For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy