SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશમરતિ ત્પાતિકી બુદ્ધિ નથી, વિનયિક-કાર્મિકી કે પારિણામિની બુદ્ધિ પણ નથી... નથી પૂર્વેના જ્ઞાનનો વૈભવ કે નથી બુદ્ધિનો વૈભવી વૈભવવિહીન છું રેક છું...” જ્યારે ગ્રંથકાર મહાત્મા આ પ્રતિપાદન કરી રહ્યા છે ત્યારે તેમની દૃષ્ટિ શ્રુતકેવળી-ચૌદ પૂર્વધર મહર્ષિઓ તરફ ગઈ છે. જ્યારે આપણી દૃષ્ટિમાં તો ગ્રંથકાર મહાન જ્ઞાનવૈભવના માલિક છે! શ્રુતસંપત્તિના અધિપતિ છે! તેઓની તુલનામાં આપણે તો રંકના પણ રેક છીએ! તેઓ જો શ્રુતજ્ઞાનના માનસરોવર છે તો આપણે તો એનું એક બિંદુ પણ નથી. તેઓએ જ્યારે પોતાની બુદ્ધિનો વિચાર કર્યો છે ત્યારે તેમની દૃષ્ટિ કોષ્ઠબુદ્ધિવાળા, બીજબુદ્ધિવાળા અને પદાનુસારી બુદ્ધિવાળા ગણધર ભગવંતો વગેરે મહામનીપીઓ તરફ ગઈ છે. તેઓની અપેક્ષાએ તેમને પોતાની બુદ્ધિ તુચ્છ, અલ્પ અને અધુરી લાગી છે! આપણી દૃષ્ટિમાં તો ગ્રંથકાર આચાર્યદેવ એક પ્રકૃષ્ટ પ્રજ્ઞાવંત અને શ્રેષ્ઠ બુદ્ધિધન મહાપુરુષ-રૂપે જ રહેલા છે... શ્રતમદનું મર્દન કરવા માટે અને બુદ્ધિમદનું મંથન કરવા માટે ગ્રંથકારનું આ અદ્ભુત ચિંતન છે. અભિમાનની ગહન ખીણ તેઓએ જાણી છે. એ ભયંકર ખીણમાં ગબડી પડેલાઓની કરુણ ચીસો તેઓએ સાંભળી છે. માટે તેઓ સાવધાન છે, સતર્ક છે. પોતાનાથી ઉચ્ચ કક્ષાના મહાપુરૂષોનું જ્ઞાન અને બુદ્ધિ જ્યાં કલ્પનામાં આવે કે પોતાના જ્ઞાન અને બુદ્ધિના મદનો સળવળાટ શાંત થયો સમજો! નમ્રતા અને લઘુતા નવપલ્લવિત બની સમજાં! હા, આપણી એ નમ્રતા અને લઘુતા, આપણને નિરાશા-હતાશ કરનારી તો ન જ જોઈએ. આપણી અશક્તિનો વિચાર આપણને પુરુષાર્થ-પંગુ બનાવનાર તો ન જ જોઈએ. ગ્રન્થકાર મહર્ષિ પોતાને ભલે “રક' માને છે, પરંતુ અશક્તિનું રૂદન નથી કરતા; અશક્તિની પરવા કર્યા વિના; કૃતવૈભવ અને બુદ્ધિવૈભવના અભાવની અવગણના કરીને, તેઓ સર્વજ્ઞશાસનના ગહન નગરમાં પ્રવેશવા લાલાયિત બન્યા છે! અશક્તિની કલ્પનાથી આળસુ બનેલાઓને, સામર્થ્યહીનતાની કલ્પનાથી નિરાશ બની ગયેલાઓને, ગ્રંથકાર મહાપુશ્ય કેવી અદ્ભુત દૃષ્ટિ આપે છે! હાય, આપણી પાસે તો જ્ઞાનનો ક્ષયોપશમ નથી.... હાય, આપણી પાસે તો સૂક્ષ્મ બુદ્ધિ નથી.... આપણે કેવી રીતે જિનાગમાં ભણી શકીએ...? ભાઈ, આપણે તો બેઠા બેઠા નવકારવાળી ગણીશું.’ આમ નિરાશ થઈને જ્ઞાનપ્રાપ્તિનો પુષાર્થ ત્યજી ન દો. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy