SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રન્થકારની નમ્રતા સામાન્ય સોના-ચાંદીનો નથી, રત્નોનો-હીરાઓનો વૈભવ છે! જોવાં છે એ રત્નો? ઓળખવાં છે એ રત્નોને? એ રત્નોનાં નામ છે : ગમ, પર્યાય, અર્થ, હતું, નય અને શબ્દ. આ છ તો એની જાતો છે! બાકી સંખ્યા તો છે અનન્ત! જિનશાસનનું નગર આ અના-અનન્ત રત્નોથી ખીચોખીચ ભરેલું છે. અત્યંત ગહન છે... આવા નગરમાં પ્રવેશવું અર્થાત્ નગરમાં પ્રવેશીને તેને જાણવું ખરેખર અશક્ય જ છે... અબહુશ્રુત મનુષ્ય કેવી રીતે તે અનંત રત્નોને જાણી શકે? ચૌદ પૂર્વોનું જ્ઞાન નહીં, ચૌદ પૂર્વોમાં પ્રતિપાદિત અર્થોના જ્ઞાન વિના સર્વજ્ઞશાસનનાં તત્ત્વરત્ન કેવી રીતે જાણી શકાય? અને જિનશાસનનાં તત્ત્વોને જાણ્યા વિના, એની ગહનતા અને ગંભીરતા સમજ્યા વિના, એ જિનશાસનમાંથી થોડું પણ કહેવું શી રીતે? ગ્રંથકારે કહી તો દીધું-“હું જિનશાસનમાંથી કંઈક કહીશ; પરંતુ જિનશાસનમાં તત્ત્વોના રત્નાગારમાં પ્રવેશવું જ એમને અશક્ય લાગે છે! ગ્રન્થકાર એક મહાનું મૃતધર... પૂર્વધર મહર્ષિ છે. તેઓને જિનશાસનમાં પ્રવેશવું અશક્ય લાગે છે. તો બીજા જીવોનું તો ગજું જ શું! પરંતુ નહીં, ગ્રન્થકાર તો જિનશાસનમાં પ્રવેશેલા જ હતા, આ તો તેઓ જિનશાસનની ગહનતા સમજાવે છે અને પોતાની નમ્રતા અભિવ્યક્ત કરે છે. જિનશાસનનો ઉત્કર્ષ અને પોતાનો અપકર્ષ બતાવીન, આ પણ એક ભાવનમસ્કાર જ તેઓએ કર્યો છે. “સ્વા૫ર્ષ-- પરોન્ઝર્ષ' આ ભાવનમસ્કારની એક શર્ત જ છે! ગ્રન્થકારની નમ્રતા श्रुतवुद्धिविभवपरिहीणकस्तथाप्यहमशक्तिमविचिन्त्य । द्रमक इवावयवोञ्छकमन्वेष्टुं तत्प्रवेशेप्सुः ।।४।। અર્થ : શ્રુતજ્ઞાનના અને અત્પાતિકી વગેરે બુદ્ધિના વૈભવથી રહિત હોવા છતાં પણ હું (ગ્રંથકાર) મારી અશક્તિનો વિચાર કર્યા વિના, રંક મનુષ્યની જેમ, જેવી રીતે રંક મનુષ્ય વેરાયેલા ધાન્ય કણોનો સંચય કરે છે, તેમ] વેરાયેલા પ્રવચનાથ રૂપ અવયવો(ધાન્ય)ની ગાણા કરવા માટે તેમાં સર્વજ્ઞશાસનરૂપ નગરમાં પ્રવેશ મેળવવા ઇચ્છું છું. વિવેચન : “મારી પાસે સર્વે પૂર્વોનું શ્રુતજ્ઞાન નથી, મારી પાસે કોષ્ઠબુદ્ધિ નથી, બીજબુદ્ધિ નથી કે પદાનુસારી બુદ્ધિ નથી... અરે, વિશિષ્ટ કોટીની ૪. જુઓ પરિશિષ્ટ, પ. જુઓ પરિશિષ્ટ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy