SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરીરરક્ષા શા માટે? ૨૪૫ રીતે કેટલાક દોપ ટાળીને વસ્ત્ર લાવવાનાં છે. પાત્ર લાવવા માટે પણ વિધિ બતાવવામાં આવી છે. “વસ્ત્ર-એષણા' અને “પાત્ર-અષણા'નો અર્થ આ છે. શાસ્ત્રોમાં બતાવેલી વિધિ મુજબ વસ્ત્ર અને પાત્ર લાવે. ઉપાશ્રય માટે પણ વિધિ બતાવવામાં આવી છે. જે સ્થાનમાં સાધુને રહેવાનું હોય અથવા રહેવા માટે સાધુને જગા જોઈતી હોય, તેના માલિકની રજા માંગવાથી માંડી, તે સ્થાનમાંથી નીકળવા સુધીની વિધિને સાધુ અનુસરે ત્રીજી વાત : આહાર, વસ્ત્ર પાત્ર વગેરેની ગવેષણ કરતો સાધુ નિર્દોષ આહાર વગેરે ગ્રહણ કરે; પરંતુ નિર્દોપ-દોષરહિત આહારદિ ન મળે તો સાધુ શું કરે? આવા સમયે સાધુ દોષયુક્ત આહાર વગેરે પણ ગ્રહણ કરે, ઓછામાં ઓછા દોષ લાગે અને ચીવટ રાખીને ગ્રહણ કરે. આ રીતે દોપિત આહારાદિ ગ્રહણ કરનારા સાધુ પણ જિનાજ્ઞાનો આરાધક છે. કારણ કે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ જેવી રીતે સંયમધર્મના નિયમો બતાવ્યા છે તેમ એ નિયમોના અપવાદ પણ બતાવ્યા છે. અપવાદ વિના નિયમ ન હોઈ શકે. “પ્રશમરતિના ટીકાકાર આચાર્યશ્રી કહે છે“સર્વે વિષય સાપવાલા' દરેક વિષયો અપવાદવાળા હોય છે. અલબત્ત, સાધુને તે તે નિયમના જ્ઞાન સાથે એના અપવાદોનું પણ જ્ઞાન હોવું જોઈએ. એ અપવાદ-માર્ગના આચરણની પદ્ધતિનું પણ જ્ઞાન હોવું જોઈએ. મૂળ નિયમોને જૈન પરિભાષામાં “ઉત્સર્ગ' કહેવાય છે, એ ઉત્સર્ગ માર્ગના નિયમો અને તેના અપવાદો-આ બંને મોક્ષમાર્ગ છે! એટલે, સંયમ ધર્મની આરાધનામાં સહાયક એવા શરીરને ટકાવવા માટે ક્યારેક ઉત્સર્ગ માર્ગની દષ્ટિએ “અકથ્ય' એવા આહાર, વસ્ત્ર વગેરે, અપવાદ માર્ગે “કચ્ય' બની જતા હોય છે. મોક્ષમાર્ગની યાત્રામાં જે કોઈ નિયમો-અપવાદો બતાવવામાં આવ્યા છે, તે બધાજ નિયમો અને અપવાદ્ય સદ્ધર્મની આરાધના માટે અને સદ્ધર્મની આરાધનાના આધારભૂત શરીરની રક્ષા માટે બતાવવામાં આવ્યા છે, આ વાત ન ભૂલવી જોઈએ. એટલે એકાંતે કોઈ નિયમનું પ્રતિપાદન જ્ઞાની પુરુષો કરતા નથી. સાધુ શરીરની રક્ષા માટે આહાર ગ્રહણ કરે, ઉપાશ્રયમાં રહે, દંડ વગેરે રાખે, અને અવસરે પધાદિ પણ લે, આ રીતે શરીરરક્ષા કરનાર સાધુને પરિગ્રહી ન કહેવાય. સ્વસ્થ અને નીરોગી શરીરથી હું મારા સંયમધર્મની આરાધના નિરાકુલ ચિત્તે કરી શકીશ.' આ પવિત્ર આશયથી સાધુ પોતાના શરીરની રક્ષા કરે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy