SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ४४६ સાહુવયણેણં - સાધુનું વચન | પુરિમઠું - દિવસના પ્રથમના સાંભળીને. | અર્ધભાગ સુધી. "નમુક્કારસહિય - મુક્રિસહિઅંનું ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં મુક્રિસહિઅં કહી ગયા છીએ તે પ્રકારના ૪૯ ભાંગાને અતીત, અનાગત અને વર્તમાનકાળના ભેદે ત્રણ ગુણા કરવાથી થાય છે. પૂર્વોક્ત સાંકેતિક નામનું નવમું પચ્ચકખાણ આઠ ભેદે છે, તે આ પ્રમાણે-૧ અંગુકસહિ(મુઠ્ઠીમાં અંગુઠો રાખું ત્યાં સુધી) ૨ મુદ્દસહિઅ (મુઠી વાળી રાખું ત્યાં સુધી), ૩ ગંઠિસહિએ (ગાંઠ બાંધી રાખું ત્યાં સુધી) ૪ ઘરસહિઅ (ઘરે જાઉં ત્યાં સુધી) ૫ પ્રસ્વેદસહિએ (શરીરે પરસેવાના બિંદુ નીકળે ત્યાં સુધી) ૬ ઉસ્સાસસહિએ (શ્વાસોચ્છવાસ લઉં અથવા જીવું ત્યાં સુધી.) ૭ થિબુકસહિઅ (વાસણે ચોંટેલાં પાણીના બિંદુ સૂકાય ત્યાં સુધી), ૮ જોઈફખસહિઅ (દીવા પ્રમુખની જયોત રહે ત્યાં સુધી) આ પચ્ચકખાણ પોરિસી આદિના પચ્ચકખાણની સાથે સાથે કરાય છે. પચ્ચકખાણ પૂરૂ થયું હોય અને ભોજન સામગ્રી તૈયાર ન હોય અથવા કાર્ય પ્રસંગે જમવાને ઢીલ હોય ત્યારે આવા પચ્ચકખાણ માંહેનું કોઈપણ કરી શકાય છે અને પોરિસિ આદિ પચ્ચકખાણ ન હોય તો પણ થાય છે. સાધુને મંડળીએ ગુરુ વગેરે ન આવ્યા હોય અથવા સાગારિકાદિનું કારણ હોય ત્યારે અભિગ્રહરૂપ સંકેત પચ્ચકખાણ થાય છે. ૧. રાઇઅપ્રતિક્રમણ કરતાં તપચિંતવણીના કાઉસ્સગ્ન વખતે અમુક પચ્ચકખાણ કરીશ એમ ધારી લેવું અને પછી ગુરુમુખે અગર સ્થાપનાચાર્ય સન્મુખ પચ્ચખાણ કરી લેવું. અને દેરાસરમાં દેવ સન્મુખ પણ પચ્ચકખાણ લેવું, જો પ્રભાતનું પ્રતિક્રમણ ગુરુ સાથે ઉપાશ્રયે ન કર્યું હોય તો ગુરૂ મહારાજને વાંદીને પચ્ચકખાણ લેવું આ પચ્ચકખાણ લેવા આશ્રયી ચૌભંગી આ પ્રમાણે જાણવી-(૧) ગુરુ પચ્ચકખાણના જાણ અને શ્રાવક પણ જાણ, (૨) ગુરુ જાણ અને શ્રાવક અજાણ, (૩) ગુરુ અજાણ અને શ્રાવક જાણ, (એ ત્રણ ભંગ શુદ્ધ જાણવા), તથા (૪) ગુરુ અને શ્રાવક બંને અજાણ (આ ભાગે પચ્ચકખાણ અશુદ્ધ જાણવું. આ પચ્ચકખાણનો કાળ સૂર્યોદય થયા પછી બે ઘડી સુધીનો છે માટે સૂર્યોદય પહેલાં લેવું અને બે ઘડી દિવસ થયે નવકાર ગણીને પાળવું. અન્યથા પચ્ચકખાણ ભંગ થાય, આ નવકારશી
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy