SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ૩ શ્રીમતે શાન્તિનાથાય, નમઃ શાન્તિવિધાયિને; રૈલોક્યસ્યામરાધીશ,-મુકુટાભ્યચિંતાંઘયેલા અર્થ:- શ્રીમાનું, ત્રણ લોકને શાન્તિના કરનારા, દેવેન્દ્રોના મુકુટોવડે પૂજાયેલાં છે ચરણકમળ જેમનાં એવા શ્રી શાન્તિનાથને નમસ્કાર થાઓ. ૧. શાન્તિઃ શાન્તિકરઃ શ્રીમાન, શાન્તિ દિશતુમે ગુરુ; શાન્તિવ સદા તેષાં, યેષાં શાન્તિગૃહે ગૃહે II રો. અર્થ - શાન્તિને કરનારા, તત્ત્વોપદેશ અને શ્રીમાનું એવા શાન્તિનાથ પ્રભુ મને શાન્તિ આપો. જેઓના ઘરને વિષે શાન્તિનાથ પ્રભુ પૂજાય છે તેઓના ઘરે નિરંતર શાન્તિ જ થાય છે. ૨. ઉભૃષ્ટ-રિષ્ટ-દુષ્ટ-ગ્રહગતિ-દુઃસ્વપ્ન-દુર્નિમિત્તાદિ; સમ્પાદિત-હિત-સંપન્નામગ્રહણં જયતિ શાન્તઃ Ill અર્થ - દૂર કર્યા છે ઉપદ્રવ, દુષ્ટ ગ્રહની ગતિ (ખરાબ સ્થાને ગ્રહનું સંક્રમવું), ખરાબ સ્વપ્ન (ઉંટ, મહિષનું આરોહણ વગેરેનું સ્વપ્નમાં દેખવું.) અને દુષ્ટ નિમિત્ત (ખરાબ અંગનું ફરકવું) વગેરે જેણે એવું અને સંપાદન કરી છે શુભ લક્ષ્મી જેણે એવું શાન્તિનાથ પ્રભુનું નામ ગ્રહણ (નામોચ્ચારણ) જયવંત વર્તે છે, અર્થાત્ ભક્તજનોને સુખ અને શ્રેયને કરનારું છે. ૩. શ્રીસંઘ-જગજ્જનપદ-રાજાધિપ-રાજસન્નિવેશાનામ; ગોષ્ઠિક-પુરમુખાણાં, વ્યાહરણે-ટ્યહવેચ્છાત્તિમુ. જા ૧. સમવસરણાદિ પ્રશસ્ત ઋદ્ધિવાળા અને શોભા-કાન્તિવાળા. ૨. પ્રણામ કરતી વખતે ઇન્દ્રોના મુકુટોનું પ્રતિબિંબ ભગવંતના ચરણમાં પડે છે માટે મુકુટવડે પૂજાયેલા. ૩. આદિ શબ્દ અશુભ શુકન લેવા. ૪. શ્રી સંઘપૌરજનપદ ઇતિ ના પાઠ.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy