SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૭ અર્થ :- ૐ એ પદ શરૂઆતમાં બોલીને કહે છે કે - આજ ઉત્તમ દિવસ છે, ઉત્તમ દિવસ છે (આજનો દિવસ ધન્ય છે). કેવળજ્ઞાનવડે જાણનાર, કેવલદર્શન વડે સર્વને જોનારા ત્રણ લોકના સ્વામી, ત્રણ લોકવડે (ત્રિભુવનવાસી જીવો વડે પુષ્પાદિકે) પૂજાયેલા, ત્રણ લોકના પૂજ્ય (પૂજવા યોગ્ય), ત્રણ લોકના ઈશ્વર અને ત્રણ લોકને (અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરવાવડે) પ્રકાશ કરનારા એવા ઐશ્વર્યાદિ યુક્ત (ચોવીશ) તીર્થંકરો અત્યન્ત સંતુષ્ટ થાઓ. ૩. ૐ ઋષભ-અજિત-સંભવ-અભિનંદન-સુમતિપદ્મપ્રભ-સુપાર્શ્વ-ચન્દ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસવાસુપૂજ્ય-વિમલ-અનન્ત-ધર્મ-શાન્તિ-કુંથુ-અરમલ્લિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વ-વર્ધમાનાન્તા જિનાઃ શાન્તાઃ શાન્તિકરા ભવન્તુ સ્વાહા. ૪. ૐ મુનયો મુનિપ્રવરા રિપુ-વિજય-દુર્ભિક્ષકાન્તા૨ેષુ દુર્ગમાર્ગેષુ રક્ષન્તુ વો નિત્યં સ્વાહા. ૫. અર્થ :- ૐ ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભપ્રભુ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભપ્રભુ, સુવિધિનાથપ્રભુ, શીતળનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજયસ્વામી, વિમળનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લીનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાન સ્વામી પર્યંત ઉપશાન્ત થયેલ (ચોવીશ) જિનેશ્વરો, કષાયોદયના ઉપશમરૂપ શાન્તિને કરનારા થાઓ. સ્વાહા, વળી મુનિઓમાં શ્રેષ્ઠ મુનિઓ (તત્ત્વજ્ઞ), શત્રુએ કરેલ પરાભવ, ૧. વિદ્યાના અતિશય-લબ્ધિવાળા ગણધરાદિ સાધુઓ.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy