SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ અર્થ:- હે જિનેશ્વર!મનોહરપુષ્પની માળાઓ, નમસ્કાર કરનારા દેવેંદ્રોનાડુર્યરત્નના રચેલા પણ મુકુટોનો ત્યાગ કરીને તમારા ચરણયુગલનો આશ્રય કરે છે અથવા તમારો સંગમ છતે પંડિતો (દેવતાઓ) અન્ય સ્થળે રમતા નથી જ. ૨૮. – નાથ! જન્મજલધે-વિપરાત્મખોડપિ, યત્તારયસ્વસુમતો નિજ-પૃષ્ઠલગ્નાનુ; યુક્ત હિ પાર્થિવ-નિપસ્ય સતસ્તવ, ચિત્ર વિભો યદસિ કર્મ-વિપાક-શૂન્યઃ ૨૯. અર્થ - હે નાથ ! તમે ભવસમુદ્ર થકી વિશેષે પરામુખ થયેલ છતાં પણ પોતાની પીઠે વળગેલા પ્રાણીઓ (જે જ્ઞાનદર્શન-ચારિત્રાદિ માર્ગ વડે જિનેશ્વર મોક્ષે ગયા છે તે માર્ગને અનુસરવાવાળા) ને જે કારણ માટે તારો છો તે વિશ્વના સ્વામી અને સુજ્ઞ એવા તમોને જે નિશ્ચ યુક્ત છે. પરંતુ હે પ્રભુ, અહીં આશ્ચર્ય છે કે – જે કારણ માટે તમે કર્મના વિપાક (ફળ) રહિત છો. ર૯. વિરોધાલંકારગર્ભિત અચિજ્ય સ્વરૂપ વિશ્વેશ્વરોડપિ જનપાલક! દુર્ગતત્ત્વ, ૧. અસુ એટલે પ્રાણ, પ્રાણવાળો તે અસુમતુ અર્થાત્ પ્રાણી. ૨. પાર્થિવનિપ એટલે માટીનો ઘડો એવો અર્થ પણ થાય છે તેથી માટીનો ઉંધો રાખેલો ઘડો જેમ પોતાની પીઠે વળગેલાને સમુદ્રથકી તારે છે તેમ તમે પણ તારો છો તે યુક્ત છે. પરંતુ માટીનો ઘટ કુંભારે કરેલ પચનાદિ ક્રિયાઓ યુક્ત છે અને તમે કર્મવિપાક રહિત છો એ અહીં આશ્ચર્ય છે. ૩. જનોનું પાલન કરે તે જનપાલક. ૪. હે જનોને પાળનારા ! કેશવડે દરિદ્રી-રહિત છો. અર્થાત્ દીક્ષા લીધા પછી કેશ વધતા નથી. આવાં પદો પણ નીકળે છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy