SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ આ પ્રત્યક્ષ મુનિઓને વિષે શ્રેષ્ઠ પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કરે છે, તે શુદ્ધ ભાવવાળા મનુષ્યો નિશ્ચ ઉંચી ગતિવાળા થાય છે.” અર્થાત્ ચામરો એમ સૂચવે છે કે જેમ અમે નીચા નમવાથી ઉંચે ચડીએ છીએ તેમ જે કોઈ આ જિનેશ્વરને નમશે તે ઉંચી ગતિ (મોક્ષ ગતિ)ને પામશે. ૨૨. સિંહાસન પ્રાતિહાર્ય શ્યામ ગભીર-ગિર- મુક્તલ-હેમરત્નસિંહાસન-સ્થમિહ ભવ્ય-શિખર્ડિનસ્વામ; આલોકયન્તિ રભસેન નદત્ત-મુચ્ચે-, શ્રામીકરાદ્રિ-શિરસીવ નવાબુવાહમુ. ૨૩. અર્થ :- હે પ્રભુ! અહીં (સમવસરણને વિષે) નીલા વર્ણવાળા ગંભીર વાણીવાળા, નિર્મળ (ઉજ્વળ-દેદીપ્યમાન) સુવર્ણ મિશ્રિત રત્નના બનાવેલા સિંહાસનને વિષે બેઠેલા એવા તમોને ભવ્ય પ્રાણીરૂપ મયૂરો, મેરૂ પર્વતના શિખર ઉપર અત્યંત ગર્જના કરતા નવીન મેઘને જેમ ઉત્સુકતા (આતુરતા) વડે જોતા હોય તેની પેઠે જુવે છે. ૨૩. ભામંડલ પ્રાતિહાર્ય ઉ ચ્છતા તવ શિતિ-ઘુતિ-મણ્ડલેન, લુચ્છદચ્છવિ-રશોકતરુ-ર્બભૂવ; ૧. શ્યામ અને નીલવર્ણની એક્તા હોવાથી અહી શ્યામ (કાળો)નો અર્થ લીધેલ છે. કેમકે પ્રભુનો વર્ણ નીલો છે. ૨. અહી મેના શિખરને સ્થાને સિંહાસન, મેઘને સ્થાને પ્રભુનું શ્યામ શરીર, ગર્જનાને સ્થાને પ્રભુની ગંભીર વાણી અને મોરને સ્થાને ભવ્યજનો જાણવા.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy