SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૧ ધ્યાન માહાભ્ય. હર્તિનિ ત્વયિ વિભો! શિથિલીભવન્તિ, જન્સોઃ ક્ષણેન નિબિડા અપિ કર્મબન્ધા; સદ્દો ભુજંગમ-મયા ઇવ મધ્યભાગ-, અભ્યાગતે વનશિખડિનિ ચંદનસ્ય. ૮. અર્થ - હે સ્વામી! તમે હૃદયને વિષે વર્તતે છતે પ્રાણીના દેઢ પણ કર્મબંધનો, જેમ વનનો મોર વનના મધ્ય ભાગે આવ્યું છતે ચંદન વૃક્ષનાં સર્પમય બંધનો તત્કાળ શિથિલ (ઢીલાં) થઈ જાય છે. તેમ ક્ષણવારમાં શિથિલ થાય છે. અર્થાત્ મોરના આવવાથી સુગંધને લીધે ચંદન (સુખડ) વૃક્ષને વીંટાઈ રહેલા સર્પો જેમ ખસી જાય છે, તેમ તમો ભવ્ય પ્રાણીના હૃદયમાં વસવાથી (તમારું ધ્યાન કર્યું છતે) આકરાં કર્મ હોય તે ઢીલાં થઈ જાય છે. ૮. દર્શન માહાભ્ય. મુચ્યત્ત એવ મનુજાઃ સહસા જિનેન્દ્ર !, રૌદ્રુપદ્રવ-શૌસ્વયિ વીક્ષિતેડપિ; ગોસ્વામિનિ સ્ફરિત-તેજસિ દેખમાત્ર, ચૌરે-રિવાશુ પશવઃ પ્રપલાયમાનૈઃ. ૯. ૧. કિરણોનો સ્વામી એટલે સૂર્ય, પૃથ્વીનો સ્વામી એટલે રાજા અને ગાયોનો સ્વામી એટલે ગોવાળ એવા ત્રણ અર્થ થાય છે, માટે ત્રણ પ્રકારે અર્થ લેવો. ૨. સૂર્ય પક્ષે પ્રભાત કાળે જગતને પ્રકાશ કરવાથી વિસ્તૃત તેજવાળો, રાજાપક્ષે અખંડિત પ્રતાપવાળો અને ગોવાળપક્ષે ફુરિત બળવાળો એમ અર્થ લેવા.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy