SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ અર્થ :- ઉત્પન્ન થયેલ ભયંકર જલોદર રોગના ભારવડે વાંકા વળી ગયેલા, શોચનીય દશાને પ્રાપ્ત થયેલા અને છોડી દીધી છે જીવિતની આશા જેણે એવા મનુષ્યો; તમારા ચરણકમળની રજરૂપ અમૃતવડે લિસ (લેપાયેલી છે શરીર જેમનાં એવા છતા કામદેવ સરખા (સુંદર શરીરવાળા) રૂ૫વાળા થાય છે. અર્થાત્ શરીરે અમૃત ચોપડવાથી જેમ સુંદર થાય છે તેમ તમારા ચરણકમળની રજ શરીરે લગાડવાથી જલોદરાદિ દુઃસાધ્ય રોગવાળા મનુષ્યોના રોગો નાશ પામી સુંદર રૂપ થાય છે. ૪૧. આપાદકઠ-મુરુ-શૃંખલ-વેષ્ટિતાંગા, ગાઢ બૃહત્રિગડ-કોટિનિવૃષ્ટ-જંઘા; વન્નામ-મત્ર-મનિશ મનુજાઃ સ્મરત્તર, સદ્યઃ સ્વયં વિગત-બધ-ભયા ભવત્તિ. ૪૨. અર્થ-પગથી માંડીને ગળાપર્યત મોટી સાંકળો વડે બાંધ્યા છે અંગો જેમનાં એવા અને અત્યંત મોટી બેડીઓની અણીઓ વડે નિઃશેષપણે ઘસાતી છે જંઘાઓ જેમની એવા પણ તમારા નામરૂપ મંત્ર (ઋષભાય નમ:)ને નિરંતર સ્મરણ કરનારા મનુષ્યો, તત્કાળ પોતાની મેળે વિશેષે ગયો છે બંધનનો ભય જેનો એવા થાય છે. અર્થાત્ તમારા નામ-સ્મરણથી આકરો બંધનભય તત્કાળ નાશ પામે છે. ૪૨. મત્ત-દ્વિપેન્દ્ર-મૃગરાજ-દવાનલાહિ,સંગ્રામ-વારિધિ-મહોદર-બધનોત્થ; તસ્યાશુ નાશ-મુપયાતિ ભયં ભિયેવ, યસ્તાવકે અવમિમં મતિમાનધીતે. ૪૩.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy