SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૩ કરીને હણ્યો છે અંધકાર જેણે એવી સૂર્યની કાન્તિ જેવી છે તેવી કાન્તિ પ્રકાશિત થયેલ પણ ગ્રહસમૂહની ક્યાંથી હોય ? ગજ ભયહર કાવ્ય. ચ્યોતન્મદાવિલ-વિલોલ-કપોલમૂલ-, મત્ત-ભ્રમદ્-ભ્રમર-નાદ-વિવૃદ્ધકોપમ્; ઐરાવતામિ-ભમુ`દ્ધતમાપદંત, દૃષ્ટવા ભયં ભવતિ નો ભવદાશ્રિતાનામ્. ૩૪. અર્થ ::- ઝરતા મદવડે કરીને કલુષિત થયેલા અને ચંચળ એવા જે ગંડસ્થળો તેને વિષે મદોન્મત થયેલા અને અહીં તહીં ભમતા એવા ભ્રમરોના ઝંકાર શબ્દવડે વિશેષ વૃદ્ધિ પામ્યો છે કોપ જેનો એવા, ઐરાવત હસ્તિ સરખી છે કાન્તિ જેની એવા અને ઉદ્ધત (દુર્દાત) એવા હસ્તિને સન્મુખ આવતો જોઈને તમારા આશ્રિતો (ભક્તજનો)ને ભય ઉત્પન્ન થતો નથી. ભિન્નેભ-કુંભગલ-દુંજ્વલ-શોણિતાત,મુક્તાફલ-પ્રકર-ભૂષિત-ભૂમિભાગઃ; બદ્ધક્રમઃ ક્રમગતું હરિણાધિપોઽપિ, નાક્રામતિ ક્રમયુગા-ચલ-સંશ્રિતં તે. ૩૫. ૧. મ્હોટી કાયાવાળો હોવાથી ઐરાવત (ઇન્દ્રના હસ્તિ) સરખો કહ્યો છે. ૨. અંકુશાદિ શસ્ત્રના પ્રહારની પણ અવગણના કરતો. ૩. જેમ પર્વતનો આશ્રય લેવાથી મનુષ્યને સિંહ ભય કરી શકતો નથી તેમ તમારા નામસ્મરણ વડે તમારા ચરણનો આશ્રય કરનારા મનુષ્ય મ્હોટા બળવાન સિંહની ફાળમાં આવી ગયા હોય તો પણ તેમને સિંહ મારી શકતો નથી. ૨૩
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy