SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ સંતિમહા-મુણિણો વિ અ સંતિકર, સયય મમ નિવુઈકારણથં ચ નમસણય / ૫ | આલિંગણયા અર્થ:- ક્રિયાના ભેદવડે એકત્ર કરેલા કર્મ અને કષાય થકી વિશેષે મુકાવનાર, અન્ય દર્શનીય દેવોના વંદન-પુણ્યવડે નહિ જિતાયેલ (તે કરતાં અનંત ગુણ ઉત્તમ), ગુણવડે વ્યાપ્ત અને મહામુનિ સંબંધી અણિમાદિ સિદ્ધિઓને પ્રાપ્ત એવા અજિતનાથ અને શાન્તિનાથ મહામુનિને (કરેલો) નમસ્કાર, મને નિરંતર શાન્તિને કરનાર અને મોક્ષનું કારણ હો. ૫. | શબ્દાર્થ પુરિસા - હે પુરુષો! દુખવારણ - દુઃખનું નિવારણ. જઈ - જો | વિમગહ - શોધતા હો. ૧. કાયિકી વગેરે પાંચ અથવા પચીશ ક્રિયા, તેનું સ્વરૂપ નવતત્ત્વથી સમજવું. ૨. અહીં કષાયનું કર્મમાંહે અંતર્ગતપણું છે તો પણ સંસારના કારણને વિષે કષાયની મુખ્યતા છે એ જણાવવાને અર્થે કષાયનું જુદું ગ્રહણ કર્યું છે. ૩. અણિમાદિ આઠ સિદ્ધિ આ પ્રમાણે જાણવી ૧ કમળના જેવા ઝીણા છિદ્રમાં પણ પ્રવેશ કરવાની શક્તિ તે અણિમા. ૨ મેરુ પર્વત કરતાં પણ મોટું શરીર વિતુર્વી શકાય તે મહિમા. ૩ અત્યંત ભારે થવાની શક્તિ તે ગરિમા. ૪ વાયુ કરતાં પણ હલકા થવાની શક્તિ તે લધિમા. ૫ પૃથ્વી ઉપર રહ્યા છતાં અંગુલિના અગ્રભાગ વડે મેરુ પર્વતની ટોચ અને સૂર્યાદિને સ્પર્શ કરવાની શક્તિ તે પ્રાપ્તિ. ૬ પાણીમાં પૃથ્વીની જેમ પગે ચાલે અને પૃથ્વી ઉપર પાણીમાં જેમ ડુબી જઈ બહાર નીકળે એવી શક્તિ તે પ્રાકામ્ય. ૭ સ્થાવર પણ આજ્ઞા માને એવી શક્તિ-તીર્થકર ચક્રવર્તિની ઋદ્ધિને વિસ્તારી શકે એવી પ્રભુતા તે ઈશિત્વ. ૮ જીવ અને અજીવ સર્વ પદાર્થ વશ થાય એવી શક્તિ તે વશિત્વ.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy