________________
૧૨૯
સંલેષણાના અતિચાર ઈહલોએપરલોએ, જીવિઅ-મરણે આ આસંસપઓગેપંચવિહો અઈયારો, મા મઝ હુજ્જ મરણે તે ૩૩
અર્થ:- ધર્મના પ્રભાવથી આ લોકને વિષે સુખની વાંચ્છા તથા પરલોકમાં દેવેન્દ્રાદિના સુખની વાંચ્છા; અનશનને લીધે સન્માન દેખી જીવવાની વાંચ્છા; તથા દુઃખ આવે મરવાની વાંચ્છા; અને એ શબ્દ થકી, કામભોગને વિષે તીવ્ર ઈચ્છા; સંલેષણા સંબંધી આ પાંચ પ્રકારના અતિચાર મને મરણાંત સુધી ન હોજો. ૩૩
ત્રણ યોગ વડે સર્વ વ્રતના અતિચાર કાએણ કાઇઅસ્સ, પડિક્કમે વાઇઅસ્સ વાયાએા મણસા માણસિઅસ્સ, સવ્યસ્ત વયાઇઆરસ્સl૩૪ો
અર્થ:- કાયાથી વધાદિકે કરાયેલા અતિચારને કાયોત્સર્ગાદિ જે કાયાના શુભ વ્યાપારને તેણે કરી; આળ પ્રમુખ દેવાના વચનના અતિચારને જિનસ્તવનાદિ શુભવચનના વ્યાપાર કરીને અને દેવતત્ત્વાદિને વિષે શંકા પ્રમુખ મનના અતિચારને અનિત્યાદિ ભાવનાના શુભ ચિંતવને કરીને; એમ સર્વ વ્રતના અતિચારને હું પડિક્કામું છું. ૩૪