SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ રાજાના દેશમાં રાજ્ય તરફથી જવાનો નિષેધ કર્યો હોય છતાં વ્યાપારાદિ પ્રસંગે જવું, ખોટાં તોલ રાખવાં, ખોટાં માપ રાખવાં; તેથી જે પાપ લાગ્યું હોય તે સંબંધી સર્વને હું પડિક્કમું છું. ૧૪. ચોથા વ્રતના અતિચાર ચઉલ્થ અણુયંમિ, નિર્ચા પરદારગમણ-વિરઇઓ | આયરિઅમuસત્યે, ઇત્ય પમાયપ્રસંગેણં ૧પો. અર્થ - અહીંયાં ચોથા અણુવ્રતને વિષે પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે વર્તતા થકા, નિરંતર પરદારા સાથે ગમન કરવાની વિરતિનું ઉલ્લંઘન કરીને જે આચરણ સેવ્યું હોય તે જેમકે-૧૫. અપરિગ્દહિઆ ઇત્તર, અસંગવિવાહ તિવ-અણુરાગે છે "ચઉત્થવયસ્સઈઆરે, પડિક્કમે દેસિઅં સવૅ ૧દો. અર્થ - અપરિગ્રહીતા અર્થાત કુંવારી કન્યા અથવા વિધવાની સાથે મૈથુન કરવું, બીજાએ થોડા વખત માટે રાખેલી વેશ્યાની સાથે મૈથુન કરવું, અનંગક્રીડા કરવી (સૃષ્ટિ નિયમ ૧. આ ચોથું વ્રત બે પ્રકારે ગ્રહણ થઈ શકે છે, તેથી સ્વદારાસંતોષીને છેલ્લા ત્રણ અતિચાર અને પહેલા બે સેવાય તો વ્રતભંગ જ થાય અને પરસ્ત્રીગમનવિરમણવાળાને પાંચ અતિચાર સમજવા. અહીં પુરુષને સ્ત્રી આશ્રયી કહ્યું છે તે પ્રમાણે સ્ત્રીને પુરુષ આશ્રયી અતિચાર, અનાચાર વગેરે સમજી લેવું.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy