________________
૧૦૮
પરિગ્રહના અતિચાર
દુવિષે પરિગ્ગહંમિ; સાવર્જો બહુવિહે અ આરંભે; કારાવણે અ કરણે, પડિક્કમે દેસિઐ સવ્વ જ્ઞા
અર્થ :- બે પ્રકારનો પરિગ્રહ-સચિત્ત અને અચિત્ત તેમજ સાવધ-પાપવાળો અને બહુ પ્રકારનો આરંભ તે બંનેને કરાવવાથી, પોતે કરવા થકી અને બીજા કરનારાઓને અનુમોદવા થકી, જે અતિચાર લાગ્યા હોય તે દિવસ સંબંધી સર્વ અતિચાર પ્રત્યે પ્રતિક્રમું છું. ૩
જ્ઞાનના અતિચાર
જં બદ્ધમિંદિઐહિં; ચઉહિં કસાએહિં અપ્પસથેહિં | રાગેણ વ દોસેણ વ, તં નિંદે તેં ચ ગરિહામિ ॥૪॥
--
અર્થ :- ઇન્દ્રિયો વડે કરી તથા ચાર કષાયે કરી, અપ્રશસ્ત ભાવે કરી, રાગે કરી વા દ્વેષ વડે કરી જે અતિચાર રૂપ અશુભકર્મ બાંધ્યું હોય, તેને આત્માની સાખે નિંદું છું અને ગુરુની સાખે ગહું છું. ૪
સમ્યગ્દર્શનના અતિચાર આગમણે નિર્ગમણે, ઠાણે ચેંકમણે
૧. રાઇયં, પિÐઅં, ચોમાસિઅં, સંવચ્છરિઅં વા યથાયોગ્યું. આર્ષત્વાદ્ વકારલોપ.