SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨ ૧૧ પણ ક્યારેક તો કર્મના ઉદયો એટલા જોરથી ત્રાટકતાં હોય છે કે દુઆ કે કૃપા કાંઈ જ કરી ન શકે. આવા સમયે તો દુઃખમાં હિંમતની અને પાપમાં પશ્ચાત્તાપની જરૂર અનિવાર્ય બની રહે છે. આ હિંમત અને પશ્ચાત્તાપની તાકાત ઉત્પન્ન કરી આપવાની તાકાત ખાસ કરીને ભગવંતની સાચી ભક્તિમાં છે. ભક્ત જ દુઃખે દુઃખી ન હોય અને પાપે સુખી ન હોય. આથી દુઆ કરતાં કૃપા ચડે છે; અને કૃપા કરતાં ભક્તિ ચડે છે. હવે કદી જનસેવા એ જ પ્રભુસેવા બોલશો નહિ. જનસેવા, ગુરુસેવા અને પ્રભુસેવા ઉત્તરોત્તર ચડીયાતા છે. એટલે દુઃખી કરતાં ત્યાગી મહાન છે. ત્યાગી કરતાં વીતરાગી મહાન છે એમ કહેવું જ જોઈએ. ક્યાં દુઃખીજન! ક્યાં ઉપકારી ભગવાન! ક્યાં ગાંગો તેલી ક્યાં રાજા ભોજ? કોક છૂપો આશીર્વાદ આર્યદેશમાં માનવ તરીકેનું જેને જીવન મળ્યું એનાં પુણ્યના પહાડને કાંઈ આપણી બુદ્ધિની ફુટપટ્ટીથી ન જ માપી શકાય. એમાં ય ધર્મની ઉત્તરોત્તર વિશિષ્ટ સામગ્રીઓની જેને પ્રાપ્તિ થાય એની તો વાત જ શી કરવી? છતાં આવા પુણ્યાત્માઓના જીવનમાં પણ ક્યારેક તો દુઃખોનો કે પાપોનો ઘનઘોર અંધકાર વ્યાપી જતો જોવા મળે છે. અંધકારમય એ બોગદાઓમાં અટવાયેલા જીવોને જોતાં આપણી આંખે આંસુ આવી જાય તેવું પણ બને છે. કેટલીકવાર એવું બને છે કે આર્યનું જીવન એ બોગદાઓમાં જ રહેંસાઈ મિસાઈને ખતમ થઈ જાય છે. કેટલીકવાર એવું પણ બને છે કે આવી ભયાનક સ્થિતિમાં ય કોઈ છૂપો આશીર્વાદ પડેલો હોય છે જે એકાએક સાબદો બને છે અને એ અંધકારને ચીરી નાંખતો હોય છે. ભયંકર દુઃખની સ્થિતિમાં મદદ દેવા કોઈ એકાએક દોડી આવે છે; ભયાનક પાપોમાં સંપૂર્ણપણે ડૂબી ગયેલા માનવ સાથે એકાએક કોઈ સંતપુરુષ ભટકાઈ જાય છે. અને જાણે અવળા વેગે ધસમસતા એ જીવનચક્રને જોરથી આંચકો લાગ્યો.. બીજી જ પળે એ જીવનનું ચક્ર, સુખ કે ધર્મની સન્મુખ બનીને સવળા વેગે ધમધમાટ કરતું દોડવા લગે છે. પૂર્વભવના કોક પુણ્યના વાદળ કટોકટીની પળોમાં આશીર્વાદ
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy