SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) “નો-ઇન્દ્રિય' એટલે મન. જેવી રીતે ઇન્દ્રિયોની સંલીનતાનું તપ કરવાનું છે એવી રીતે મનની સંસીનતાનું તપ કરવાનું છે. આર્તધ્યાન અને રોદ્ર ધ્યાનથી મુક્ત મન સંલન કહેવાય. જ્યારે મનમાં ક્રોધ હોય, માન હોય, માયા હોય અને લોભ હોય ત્યારે તે મન સંલીન નથી હોતું. ઉગ્નિ અને અશાંત હોય છે. સાધક આત્મા ક્રોધાદિ કષાયોનો ઉદય જ રોકે. અર્થાત્ ક્રોધાદિ કષાયો મનમાં પ્રવેશે જ નહીં; એ રીતે મનને શાન-ધ્યાન અને ચારિત્રની આરાધનામાં જોડેલું રાખે. તે છતાં પ્રમાદથી કે અસાવધાનીથી કષાયો મનમાં આવી જાય તો તેને ઉપશાંત કરવાના ઉપાયો કરે. કાયાથી એ કષાયો અભિવ્યક્ત થઈ જાય તો ક્ષમા, નમ્રતા, સરળતા અને નિર્લોભતાથી એનું વારણ કરે. આનું નામ નોઇન્દ્રિય-સંલીનતા. તપશ્ચર્યાથી કર્મોની નિર્જરા થાય છે, તે કરીને આત્મવિશુદ્ધિ પ્રાપ્ત કરવાની ઝંખનાવાળા સાધકોએ આ બાહ્ય તપ આચરવુ જોઈએ. હવે તમને છ પ્રકારના અભ્યતર તપ સમજાવું છું. પહેલો પ્રકાર છે પ્રાયશ્ચિત્ત. જેનાથી ચિત્તશુદ્ધિ થાય તેને પ્રાયશ્ચિત્ત કહેવાય. સદ્ગુરુનાં ચરણોમાં વિનયપૂર્વક નમ્રતાપૂર્વક પોતાનાં પાપો પ્રકાશિત કરવાં, અતિચારો પ્રગટ કરવા અને એ સાંભળીને ગુરુદેવ જે પ્રાયશ્ચિત્ત આપે તે વહન કરવું, અને પ્રાયશ્ચિત્ત-તપ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે ધ્યાન. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ, તે પણ તપશ્ચર્યા છે. “ચિત્તનિરોધરૂપ ધ્યાન'ને તપ કહેવાય છે. એવી રીતે, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં એકાગ્રતા અનુભવતું ચિત્ત પણ ધ્યાન છે અને તે તપ છે. ધર્મ ધ્યાનના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) આજ્ઞા વિચય, (૨) અપાય વિચય, (૩) વિપાક વિચય અને, (૪) સંસ્થાન વિચય. હે રાજા! આ ચાર પ્રકારો તમને મયણા સમજાવશે. શુક્લ ધ્યાનનો સરળ અર્થ છે : જેનાથી શારીરિક અને માનસિક દુઃખ, શોક, સંતાપનો નાશ થાય તેને “શુક્લ” કહેવાય. તે શુક્લ ધ્યાન પણ ચાર પ્રકારનું હોય છે : (૧) પૃથકત્વ-વિતર્ક સવિચાર, (૨) એકત્વ-વિતર્કઅવિચાર, (૩) સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી, (૪) ભૂપતક્રિયા-અનિવૃત્તિ. રાજા! આ ચાર પ્રકારો પણ તમને મયણા સમજાવશે. મયણા ૨૩૩ For Private And Personal Use Only
SR No.008914
Book TitleMayna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy