SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આજે નવમા ‘તપપદ’ની આરાધના વિશેષરૂપે કરવાની હતી. એટલે ‘તપંપદ’ની સ્તવના શરૂ કરી : કેવો આ સંસાર? નથી કો ય સાર... આરાધો તપના બાર પ્રકાર... આરાધો૦ તપથી થાયે કર્મનિર્જરા પાપો સહુયે સળગે મળે સુખ ને શાંતિ મનને, જાયે ઉદ્વેગ અળગે... પામો સમતાનો શણગાર... આરાધો મમતા તૂટે દેહભાવની, પ્રગટે આતમજ્યોતિ પુણ્યોદય ભરપૂર થાય ને પામો ગુણનાં મોતી બનવું એક દિન અણગાર... આરાધો દિવ્ય તત્ત્વો સાંનિધ્ય કરે ને સહાય કરે સંકટમાં શક્તિ મળે એવી અદ્ભુત કે ચાલી શકો કંટકમાં... કરવો ગુરુ તણો સથવાર... આરાધો સ્તવના પૂર્ણ કરીને ‘ૐ હ્રીઁ નો તવરન્સ' આ મંત્રનો જાપ શરૂ કર્યો. શ્વેતવર્ણમાં તપપદનું ધ્યાન કર્યું. આજે અમે બંને ધ્યાનમાં નિમગ્ન બની સમાધિમાં લીન બની ગયાં. બે ટિકા વીતી ગઈ. અમે જાગ્રત બન્યાં. અમારી આંખોમાંથી હર્ષનાં આંસુ વહેતાં હતાં. અમે ગદ્ગદ્ હતાં. ધીરે ધીરે ઊભાં થયાં, મસ્તક નમાવી, હાથ જોડી, પૂજાખંડમાંથી બહાર નીકળ્યાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir આજે અમે ઋષભ-પ્રાસાદમાં વિશિષ્ટ ફળ-નૈવેદ્ય-પુષ્પ આદિ લઈને ગયાં હતાં, પરમાત્માની ભાવપૂર્વક પૂજા કરી હતી. પછી ગુરુદેવશ્રીની પાસે પૌષધશાળામાં ગયાં હતાં. મણા ગુરુદેવને વંદના કરી અમે ઉચિત જગાએ બેસી ગયાં. આજે ગુરુદેવ અમને ‘તપપદ' સમજાવવાના હતા. તેઓએ વિવેચના શરૂ કરી : ‘હે મહાનુભાવ, આજે તમને ‘તપપદ' અંગે સમજણ આપીશ. તમે એકાગ્રતાપૂર્વક સાંભળજો.' જે કર્મોને તપાવે નાશ કરે તેને તપ કહેવાય. અનાદિકાળથી આત્મા અને કર્મનો સંયોગ છે. જ્યાં સુધી આત્મા કર્મોથી બંધાયેલો છે ત્યાં સુધી તે સંસારી છે અને જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી જન્મ-જીવન For Private And Personal Use Only ૨૩૧
SR No.008914
Book TitleMayna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy