SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૭ ઉપસર્ગ-પરિસહ (૨) મારવું, લૂંટવું, હેરાન કરવું વગેરે પ્રતિકૂળ ઉપસર્ગ. શાસ્ત્રીય ભાષામાં અનુકૂળ ઉપસર્ગને અનુલોમ ઉપસર્ગ” કહેવાય અને પ્રતિકૂળ ઉપસર્ગને “પડિલોમ' ઉપસર્ગ કહેવાય. જેને અંતરંગ શત્રઓ કામ-ક્રોધ-લોભાદિ ઉપર વિજય મેળવવાની સાધના કરવી હોય તેને આ ઉપસર્ગ સમતાભાવે સહેવા જોઈએ. ભગવાન મહાવીર આવા ઉપસર્ગ સહીને જ વીતરાગ-સર્વજ્ઞ બન્યા હતા. પરિષહ : મોક્ષમાર્ગમાં સ્થિર થવા અને કર્મનિર્જરા માટે સમ્યક્સહન કરવું, તે પરિષહ કહેવાય. પરંતુ આ પરિષહ જીવનની સ્વાભાવિક પરિસ્થિતિઓમાંથી ઉદભવતાં કષ્ટ હોય છે. પરિષદોમાં કોઈ દેવ, મનુષ્ય કે તિર્યંચના અનુકૂળપ્રતિકૂળ હુમલા નથી હોતા. પરિષહોનું ઉદ્ભવસ્થાન મનુષ્યનું પોતાનું મન હોય છે. બાહ્ય નિમિત્તોને પામીને મનમાં ઊઠત ક્ષોભ છે. આ પરિષહ ૨૨ પ્રકારના છે. “નવતત્ત્વપ્રકરણ” વગેરે ગ્રંથોમાં તેનું સ્પષ્ટ વર્ણન મળે છે. ૧. સુધા : ભૂખ લાગવી. ૨. પિપાસા : તરસ લાગવી. ૩. શીત : ઠંડી લાગવી. ૪. ઉષ્ણ : ગરમી લાગવી. ૫. દંશ : ડાંસ વગેરેની પીડા થવી. ડ, અચલ : જીર્ણ વસ્ત્ર પહેરવાં. ૭. અરતિ : સંયમમાં અરુચિ. ૮. સ્ત્રી : સ્ત્રીને જોઈ વિકાર. ૯. ચર્યા : ઉગ્રવિહાર. ૧૦. નૈધિકી : એકાત્ત સ્થાનમાં રહેવું. ૧૧. શય્યા : ઊંચી-નીચી, ખરબચડી જમીન ઉપર રહેવું. ૧૨. આક્રોશ : બીજાઓનો ગુસ્સો, તિરસ્કાર થવો. ૧૩. વધ : પ્રહાર થવો. ૧૪. યાચના : ભિક્ષા માંગવી. ૧૫. અલાભ : જોઈતી વસ્તુ ન મળે. For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy