SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧) અશ્વર્ણ-કરણકાળ, (૨) કિટ્રિક૨ણ-કાળ, (૩) કિગ્નિવેદન-કાળ. ૪૫૮ શાનસાર માનને એક સાથે ઉપશમાવે. પછી સંજ્વલન માન ઉપશમાવે. તે પછી સંજ્વલન માયાને ઉપશમાવે. (બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ કરે.) ત્યારબાદ તે લોભનો વેદક બને. લોભવેદનકાળના ત્રણ વિભાગ હોય છે : Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) પ્રથમ વિભાગમાં સંજ્વલન લોભની બીજી સ્થિતિમાંથી દલિકોને ગ્રહણ કરી પ્રથમ સ્થિતિ બનાવે અને વેદે. અશ્વકર્ણ-કરણ કાળમાં રહેલા જીવ પ્રથમ સમયે જ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન-ત્રણેય લોભને એક સાથે ઉપશમાવવાનો પ્રારંભ કરે. વિશુદ્ધિમાં ચઢતો જીવ અપૂર્વ સ્પર્ધકો કરે. ત્યાર પછી સંજ્વલન માયાને સમયન્સૂન બે આવલિકા કાળમાં ઉપશમાવે. આ રીતે અશ્વકર્ણ-કરણ સમાપ્ત થાય. (૨) કિટ્રિકરણ-કાળમાં પૂર્વસ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધકોમાંથી દ્વિતીય સ્થિતિમાં રહેલાં દલિકો લઈને પ્રતિસમય અનન્ત કિટ્ટિઓ કરે. કિટ્રિકરણ-કાળના ચરમ-સમયે એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ લોભને ઉપશમાવે. આ ઉપશમ થતાં જ સંજ્વલન લોભના બંધનો વિચ્છેદ થાય અને બાદર સંજ્વલન લોભના ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય, ત્યાર પછી જીવ સૂક્ષ્મ સંપરાયવાળો બને. (૩) કિટ્ટિકરણ-કાળ દસમા ગુણસ્થાનકનો કાળ છે. (અન્તર્મુહૂર્ત પ્રમાણકાળ છે.) અહીં બીજી સ્થિતિમાંથી કેટલીક કિટ્ટિ ગ્રહણ કરી સૂક્ષ્મ સં૫રાયના કાળ જેટલી પ્રથમ સ્થિતિ બનાવે અને વેદે. સમયન્યૂન બે આવૃલિકામાં બંધાયેલા દલિકને ઉપશમાવે. સૂક્ષ્મ સંપરાયના અન્તિમ સમયમાં સંપૂર્ણ સંજ્વલન લોભ ઉપશાન્ત થાય છે. આત્મા ઉપશાન્તોહી બને છે. ઉપશાન્તમોહ ગુણસ્થાનકનો જઘન્યકાળ એક સમયનો છે અને ઉત્કૃષ્ટકાળ અન્તર્મુહૂર્તનો છે, તે પછી તે અવશ્ય પડે. પતન : ઉપશાન્તમોહી આત્માનું પતન બે રીતે થાય : For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy