SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપશમણિ ૪૫૭ અનિવૃત્તિકરણ કાળના અસંખ્ય ભાગ પછી અંતરકરણ કરે. અંતરકરણમાં સમ્યક્તની પ્રથમ સ્થિતિ અત્તર્મુહુર્ત પ્રમાણ કરે અને મિથ્યાત્વ-મિશ્રની આવલિકા પ્રમાણ સ્થિતિ કરે. તે પછી ત્રણેય પ્રકૃતિનાં અન્તર્મુહૂર્તપ્રમાણ અંતરકરણના દલિકને ત્યાંથી ઉઠાવી-ઉઠાવીને સમ્યક્તની અન્તર્મુહુર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિમાં નાખે. મિથ્યાત્વ અને મિશ્રનું એક આવલિકા પ્રમાણ જે પ્રથમ સ્થિતિમાં દલિક છે તેને સ્તિબક સંક્રમ વડે સમ્યક્તની પ્રથમ સ્થિતિમાં સંક્રમાવે. સમ્યક્તનાં પ્રથમ સ્થિતિગત દલિકોને ભોગવીને ક્ષય કરે. આ પ્રમાણે ક્રમશઃ દર્શનત્રિકનો ક્ષય થયા પછી ઉપશમ સમ્યત્ત્વ પામે છે. દર્શનત્રિકની ઉપરની સ્થિતિમાં રહેલાં દલિકોને ઉપશમાવે. આ પ્રમાણે દર્શનત્રિકને ઉપશમાવતો, પ્રમત્ત-અપ્રમત્ત ગુણાસ્થાનમાં સેંકડો વખત આવાગમને કરતો ફરીથી ચારિત્ર મોહનીયની ઉપશમના કરવા પ્રવૃત્ત થાય. ચારિત્રમોહનીયની ઉપશમના : ચારિત્રમોહનીય કર્મની ઉપશમના કરવા માટે પુનઃ ત્રણ કરણ કરવાં પડે. તેમાં એટલું વિશેષ કે યથાપ્રવૃત્ત કરણ અપ્રમત્તગુણસ્થાનકમાં થાય છે. અપૂર્વકરણ-ગુણસ્થાનકમાં થાય છે. અપૂર્વકરણમાં સ્થિતિઘાતાદિ પાંચેય કાર્ય થાય તે પછી અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે અનિવૃત્તિકરણ કરે. અહીં પણ પૂર્વોક્ત પાંચ કાર્ય થાય. અનિવૃત્તિકરણ-કાળના સંખ્યાતા ભાગ ગયા પછી મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે. (દર્શનસપ્તક સિવાયની ૨૧ પ્રકૃતિ) ત્યાં જે વેદ અને જે સંવલન કષાયનો ઉદય હોય તેમના ઉદયકાળ પ્રમાણ પ્રથમ સ્થિતિ કરે. બાકીના ૧૧ કષાય અને ૮ નોકષાયની આવલિકા-પ્રમાણ પ્રથમ સ્થિતિ કરે. અન્તરકરણ કરીને અંતર્મુહુર્ત કાળમાં નપુંસકવેદને ઉપશમાવે. ત્યાર પછી અત્તમહુર્ત કાળમાં સ્ત્રીવેદને ઉપશમાવે. ત્યારબાદ અન્તર્મુહૂર્તમાં હાસ્યાદિષક શમાવે અને એ જ સમયે પુરુષવેદનો બંધ-ઉદય અને ઉદીરણાનો વિચ્છેદ થાય. ત્યાર પછી બે આવલિકા-કાળમાં (એક સમય ઓછો) સંપૂર્ણ પુરુષવેદનો વિચ્છેદ કરે. ત્યારબાદ અન્તર્મુહૂર્ત કાળમાં એક સાથે જ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધકષાયને ઉપશમાવે. તે ઉપશાંત થાય કે તે જ સમયે સંવલન ક્રોધના બંધ ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય. ત્યાર પછી આવલિકામાં (એક સમય ન્યૂન) સંજ્વલન ક્રોધને ઉપશમાવે. કાળના આ ક્રમે જ અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy