SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૌદ ગુણસ્થાનક ૪૩૧ મિથ્યાત્વદશાને પ્રાપ્ત કરતાં તેને કંઈક વાર લાગે છે, (એક સમયથી માંડી છ આવલિકા સુધી) ત્યાં સુધી તે “સાસ્વાદન’ કહેવાય છે. “સાસ્વાદન’નો પ્રભાવ : અહીં અતિ અલ્પ કાળમાં જીવ ઔપથમિક સભ્યત્વનું રહ્યું-સહ્ય આસ્વાદન કરે છે, જેમ ખીરનું ભોજન કર્યા પછી ઊલટી થઈ જાય, ત્યારબાદ પણ ખીરના ઓડકાર આવે છે, તેવી રીતે અહીં ઔપશમિક સમકિતથી ભ્રષ્ટ થયા પછી પણ, જ્યાં સુધી મિથ્યાત્વદશાને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પથમિક સમ્યક્તનું આસ્વાદન રહે છે. ३. मिश्र-गुणस्थानक: મિથ્યાત્વદશા પછી ઉપર ચઢતાં બીજી દશા મિશ્ર-ગુણસ્થાનકની હોય છે. “સાસ્વાદન-ગુણસ્થાનક' તો નીચે પડતા જીવની એક અવસ્થા છે. “મિશ્રનો અર્થ છે સમ્યક્ત અને મિથ્યાત્વ ઉભયનું મિશ્રણ. આ મિશ્ર-અવસ્થા માત્ર એક અન્તર્મુહૂર્ત કાળ રહે છે. આત્માની આ એક વિલક્ષણ અવસ્થા છે. અહીં જીવમાં ધર્મ-અધર્મ બંને પર સમબુદ્ધિથી શ્રદ્ધા હોય છે : “શ્રી ગુરચાનવમારોદ' પ્રકરણમાં કહ્યું છે : 'तथा धर्मद्वये श्रद्धा जायते समबुद्धितः । मिश्रोऽसौ भण्यते तस्माद् भवो जात्यन्तरात्मकः ।।१५।।' મિશ્રદષ્ટિનો પ્રભાવ : અહીં આત્મા અતત્ત્વનો કે તત્ત્વનો પક્ષપાતી નથી હોતો. આ અવસ્થામાં જીવ પરભવનું આયુષ્ય ન બાંધે અને મરે પણ નહીં. ४. अविरत सम्यग्द्रष्टि गुणस्थानक : સ્વાભાવિક રીતે યા ઉપદેશથી યથોક્ત તત્ત્વોમાં જીવને રુચિ થાય તે સમ્યક્ત કહેવાય. 'यथोक्तेषु च तत्त्वेषु रूचिर्जीवस्य जायते। निसर्गादुपदेशाद्वा सम्यक्त्वं हि तदुच्यते ।।' - श्री रत्नशेखरसूरिः “સમ્યક્તની મહત્તા બતાવતાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy