SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૨૪ કલ્પનાને ફગાવી દઈ સમતારસમાં નિમગ્ન બની જાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સમતા-શચિનો સ્વામીનાથ યોગીન્દ્ર...સમતા ચિના ઉત્સંગમાં રસલીન બની પરમ બ્રહ્માનંદને અનુભવે છે. નથી એ પોતાની દિવ્ય શક્તિઓનો ઉપયોગ કરતો... અને એ કરીને નથી એ સમતા-રાણીને છોડવા માંગતો! આ પરિસ્થિતિમાં તેનું એક મહાન કાર્યસિદ્ધ થાય છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાતચારિત્ર... વગેરેને આવરીને રહેલાં કુકર્મોનો ક્ષય થઈ જાય છે! અપેક્ષાતન્તુવિચ્છેદ્રઃ અપેક્ષા તો કર્મબંધનું મૂળ છે... એ મૂળ ઊખડી જાય છે. આ સમતાયોગીના ગળામાં કોઈ ભક્ત આવીને પુષ્પની માળા કે ચંદનનો લેપ કરી જાય... કોઈ શત્રુ આવીને કુહાડાનો ઘા કરી જાય... નહિ પેલા ભક્ત પર રાગ કે નહિ પેલા શત્રુ પર દ્વેષ! બંને પર સમાન દૃષ્ટિ! બંનેના શુદ્ધ આત્મદ્રવ્ય પર જ દૃષ્ટિ! શ્રી ઉપાધ્યાયજીએ આ ‘સમતા'નાં મુક્ત કંઠે ગાણાં ગાયાં છે! ૫. વૃત્તિસંક્ષયયોા : શાનસાર નિસ્તરંગ મહોદધિ સમાન આત્માની વૃત્તિઓ બે પ્રકારે દૃષ્ટિગોચર થાય છે : (૧) વિકલ્પરૂપ, અને (૨) પરિસ્કંદરૂપ. આ બંને પ્રકારની વૃત્તિઓ આત્માની સ્વાભાવિક નથી પરંતુ અન્ય સંયોગજન્ય છે. તથાવિધ મનોદ્રવ્યના સંયોગથી વિકલ્પરૂપ” વૃત્તિઓ જાગ્રત થાય છે. શરીરથી પરિસ્પન્દરૂપે પ્રગટ થાય છે. જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે વિકલ્પવૃત્તિનો સંક્ષય થઈ જાય છે. એવો ક્ષય થઈ જાય છે કે પુનઃ અનંતકાળ માટે આત્મા સાથે તેનો સંબંધ જ ન થાય. ‘અયોગી કેવળી' અવસ્થામાં પરિસ્કંદરૂપ વૃત્તિઓનો પણ વિનાશ થઈ જાય છે. આનું નામ વૃત્તિસંક્ષયયોગ. આ યોગનું ફળ છે કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ! अतोऽपि केवलज्ञानं शैलेशीसम्परिग्रहः । मोक्षप्राप्तिरनाबाधा सदानन्दविधायिनी || ६६७ ।। ૪૪. જુઓ અધ્યાત્મસા-સમત્તાધિરે ૪૫. માનસિક વિચારો, ૪૪.શારીરિક ક્રિયાઓ For Private And Personal Use Only - योगबिन्दुः
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy