SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનસાર ૪c૪ એને વળી પરપદાર્થની આશા હોય? વિકારી અને પીડાકારી પર૫દાર્થોને એ ઇચ્છે ખરા? જ્ઞાનના સારભૂત ચારિત્રમાં નિર્વિકાર સ્થિતિ છે, નિરાબાધ અવસ્થા છે. એટલે એ મહાત્માને કર્મબંધ ન થાય. કર્મોનું બંધન વિકારોથી છે. પરપદાર્થોની સ્પૃહામાંથી જન્મેલા વિકારો કર્મબંધ કરાવે છે. ચારિત્રવંત આત્માને કર્મબંધ ન થાય; એ જ મોક્ષ છે! પૂર્વ કર્મોનો ઉદય હોય પરંતુ નવાં કર્મોનો બંધ ન હોય. કર્મોના ઉદય વખતે જ્ઞાનસાર હોવાથી નવાં કર્મ ન બાંધવા દે. નવાં કર્મ ન બંધાય એ જ મોક્ષ. પરપદાર્થોની સ્પૃહામાંથી જન્મતા વિકારો અને એ વિકારોમાંથી જન્મતી પીડાઓ જે મહાત્માને ન સ્પર્શે તે મહાત્માને અહીં જ મોક્ષસુખનો અનુભવ થાય છે; અર્થાત્ પરાશાઓથી નિવૃત્ત થવું, એ મોક્ષ માટે અનિવાર્ય શરત બને છે. આત્મા સિવાય બધું જ પર છે. अन्योऽहं स्वजनात् परिजनात् विभवात् शरीरकाच्चेति । यस्य नियता मतिरियं न बाधते तस्य शोककलिः ।। આ અન્યત્વ ભાવને દઢ કરનારો મહાત્મા નિર્વિકાર, નિરાબાધ ચારિત્રનું પાલન કરતો મોક્ષ મેળવે છે. चित्तमार्दीकृतं ज्ञानसारसारस्वतोर्मिभिः । नाप्नोति तीव्रमोहाग्निप्लोषशोषकदर्थनाम् ।।३।। અર્થ જ્ઞાનસારરૂપ સરસ્વતીના તરંગો વડે કોમળ બનેલું મન આકરા મોહરૂપ અગ્નિના દાહના શોષની પીડા પામતું નથી. વિવેચન : જ્ઞાનસારની પવિત્ર સરયૂ સરસ્વતી! સરસ્વતીના પવિત્ર જલમાં નિપ્રાણ હાડકાં અને રાખ બોળવાથી સદ્ગતિ નથી થતી, સ્વર્ગ નથી મળી જતું... એ સરસ્વતીના નિર્મળ પ્રવાહમાં આપણું મન બોળવાનું છે! “જ્ઞાનસારની સરસ્વતીમાં વારંવાર મનને ઝબોળો અને કોમળ બનવા દો, એને સરસ્વતીના તરંગો ઝીલી-ઝીલીને ભીનું થઈ જવા દો! પછી ભલેને પેલો મોહ-દાવાનળ સળગતો.. ભલેને મનને એની ઝાળો લાગે! મનને કોઈ પીડા નહીં થાય, મનને કોઈ દર્દ નહીં થાય. અરે, પાણીથી For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy