SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિદ્યા ૧૫૧ સમતાનું સ્નાન નિરંતર કરતા રહેવું જોઈએ. સમતાથી સમકિતની ઉજ્વળતા મળે, કે જે ઉજ્વળતા-પવિત્રતા આત્માની છે. સમતારસમાં મજ્જન કરતાં આત્માનો ત્રણ પ્રકારનો મળ નાશ પામે છે : दशोः स्मरविषं शुष्येत् क्रोधतापः क्षयं व्रजेत् । औद्धत्यमलनाशः स्यात् समतामृतमज्जनात् ।। Acharya Shri Kailassagarsuri Gyanmandir अध्यात्मसार દૃષ્ટિમાંથી વિષયવાસનાનું ઝે૨ દૂર થઈ જાય છે. ક્રોધનો તપારો શાંત થઈ જાય છે અને ઉદ્ધતાઈ-સ્વચ્છન્દતાનો કચરો ધોવાઈ જાય છે. બસ, સમતાના કુંડમાં સ્નાન કરી લો! સમતાનો કુંડ કેવો ચમત્કારિક છે! તમને જે કોઈ રોગ હોય, સમતાના કુંડમાં સ્નાન કરી લો; રોગ દૂર થયો સમજો. તમારા જીવનમાં ગમે તેવા આંતરિક દોષ હોય, તમે સમતાકુંડમાં નાહી લો, દોષ ભાગ્યો સમજો! તો, ભરત ચક્રવર્તીના જીવનમાં કયું દુષ્કર તપ હતું? કયો મહાન ત્યાગ હતો? કયાં મહાવ્રતો હતાં? છતાં એમણે આત્માના અનંત દોષો દૂર કર્યા... કેવી રીતે? સમતા કુંડમાં સ્નાન કરીને! પૂજ્ય ઉપાધ્યાયજીએ સ્વરચિત-‘આધ્યાત્મસાર’ માં આ રહસ્ય ખોલ્યું છે : आश्रित्य समतामेकां निर्वृता भरतादयः । न हि कष्टमनुष्ठानमभूत्तेषां तु किञ्चन ।। બાહ્ય શરીરને પાણીથી અને માટીથી પવિત્ર કરવાની ઘેલછા દૂર કરી, આત્માને સમતા-જલથી પવિત્ર કરવાનો માર્ગ બતાવી, પૂજ્ય ઉપાધ્યાયજીએ કેવો મહાન ઉપકાર કર્યો છે! બસ, સમતા દ્વારા સકિતની પ્રાપ્તિ થઈ, સમજવું જોઈએ કે 'હું પવિત્ર બન્યો...’ ‘હું પવિત્ર છું.’ આ ખ્યાલ રહે તો શરીરાદિને પવિત્ર કરવાનો વિચાર જાગે નહીં. ‘હું અપવિત્ર ગંદો છું.' આવો ખ્યાલ હોય છે ત્યારે પવિત્ર બનવાની પ્રવૃત્તિ થાય છે. સમતાને સ્થિર રાખવા માટે જીવોમાં કર્મનિર્મિત વૈવિધ્યનું દર્શન ન કરવું જોઈએ. જેમ જેમ વિશુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન દૃઢ થતું જાય છે તેમ તેમ સમતા સ્થિર અને દૃઢ બનતી જાય છે. સમતાની પવિત્રતાનું સુખ તો એ જ અનુભવી શકે કે જેમણે સમતાને આત્મસાત્ કરી છે. શરીરાદિ પુદ્ગલોમાં આસક્ત જીવાત્મા સમતાના વચનાતીત સુખને ન અનુભવી શકે. શરીરને પવિત્ર બનાવવાની ધૂન જેના પર સવાર થઈ હોય, તેવો જીવ સમતાના For Private And Personal Use Only
SR No.008912
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages553
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy