SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૧૮૯ - “હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. જ્ઞાન-દર્શન મારા ગુણ છે.” - ભરતેશ્વર ધર્મધ્યાનમાંથી શુકલધ્યાનમાં પ્રવેશી ગયા. - એ જ અરીસાભવનમાં! - એ જ રાણીઓના સમૂહની વચ્ચે! - આંખો બંધ હતી. શરીર સ્થિર હતું. - વાણી મૌન હતી. અને મન ધ્યાનમાં લીન હતું. - લય પામી ગયા, વિ-લય પામી ગયા. - સમતાયોગે સ્થિર થઈ મોહશત્રુને જીતી લીધો. - અને પ્રકૃષ્ટ લય પ્રાપ્ત કરી કેવળજ્ઞાની બની ગયા. - ભરતેશ્વર વીતરાગ-સર્વજ્ઞ બની ગયા. - વેશ ગૃહસ્થનો હતો ને! - સ્વર્ગમાંથી દેવો ઊતરી આવ્યા. - ભરતેશ્વરે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. - દેવોએ ભરતેશ્વરને સાધુ-વેશ આપ્યો. - સ્વર્ણકમળ પર બિરાજમાન કર્યા. - તેમણે ધર્મદેશના આપી. - ભરતેશ્વરના આજ્ઞાંકિત ૧૦ હજાર રાજાઓ સાધુ બન્યા. - એક લાખ પૂર્વ વર્ષ સુધી ભરતક્ષેત્રમાં વિહાર કરી ઋષભશાસનનો જયજયકાર કર્યો. - છેવટે અષ્ટાપદ પર્વત ઉપર ગયા. ચારે આહારનો ત્યાગ કર્યો. - એક માસના અંતે જ્યારે ચંદ્ર શ્રવણનક્ષત્રમાં હતો ત્યારે શેષ અઘાતી કર્મો નાશ પામ્યાં. તેઓ સિદ્ધ-બુધ-મુક્ત બન્યા. દેવોએ - ઇન્દ્રોએ તેમનો મોક્ષમહિમા (મહોત્સવ) કર્યો. ચેતન, ભરતેશ્વર અને રાજર્ષિ પ્રસન્નચંદ્રનું ભાવાત્મક ભૂમિકાએ થોડું મૂલ્યાંકન કરીએ. ૦ ભરતેશ્વર ગૃહસ્થવેશમાં હતા. ૦ ભરતેશ્વર અરીસાભવનમાં હતા, કે જ્યાં રાગ-વિકારનાં જ નિમિત્તો હતાં. ૦ પ્રસન્નચન્દ્ર સાધુવેશમાં હતા. પ્રસન્નચન્દ્ર સ્મશાનમાં ઊભા હતા. For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy