SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લય-વિલય-પ્રલય ૨. લોકપ્રશંસાની અપેક્ષા ન રાખવી. ૩. સામાયિક દ્વારા ‘ધનલાભ’ની ઇચ્છા ન કરવી. ૪. ‘બીજાઓ કરતાં હું સારું સામાયિક કરું છું,' આવું અભિમાન ન કરો. ૫. ભય ન પામો. ૭. સામાયિકના ફળની ઇચ્છા ન કરો. ૭, સામાયિકના ફળમાં શંકા ન કરો. ૮. મનમાં રોષ ન રાખો. ૯. વિનયભાવથી સામાયિક કરો. ૧૦. બહુમાનના ભાવથી સામાયિક કરો. આ રીતે મન-વચન-કાયાની સ્થિરતા ૪૮ મિનિટ સુધી રાખો. સામયિકમાં ૧૩૯ સ્વાધ્યાય કરી શકો. - મંત્રજાપ કરી શકો. ધ્યાન ધરી શકો. ધર્મધ્યાન કરી શકો. આત્મચિંતન કરી શકો. આ બધામાં લય જળવાવો જોઈએ. જો તમે ઉપર બતાવી, એ બધી સાવધાનીઓ રાખશો તો જરૂ૨ લય જળવાશે. તમને સમતાભાવની પ્રાપ્તિ થશે. સામાયિકની સફળતા સમતાભાવની પ્રાપ્તિ પર નિર્ભર છે. સમતાયોગમાં સ્થિરતા પ્રાપ્ત કરી, મોહનો નાશ કરી, વીતરાગ બની, પૂર્ણાનન્દમાં પ્ર-લય પ્રાપ્ત કરવા, મનોમન દૃઢ નિર્ણય કરી, 'સામાયિક’નો ધાર્મિક-આધ્યાત્મિક પ્રયોગ શરૂ કરી દેવો જોઈએ. For Private And Personal Use Only આ જ રીતે પરમાત્માની પૂજામાં પણ ઉત્કૃષ્ટ લયની પ્રાપ્તિ કરી શકાય. શરત એક જ છે ઃ મન-વચન-કાયાની સ્થિરતા! : કુશળ રહે. તા. ૧૪-૫-૯૮ (ઊંધ્યુમ્નસૂરિ
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy