SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬o આંતરયાત્રામાં આઠ વિનો અસ્વસ્થતા છે. આવશ્યક વિષયોનો ઉપયોગ કરવો તે જુદી વાત છે, અને વિષયોમાં રાચવું તે જુદી વાત છે. વિષયોમાં પ્રિયત્વની કલ્પના ન કરો. તે માટે વિષયોની નિઃસારતાનું ચિંતન કરો. વિષયાસક્તિના દારૂણ વિપાકોનું ચિંતન કરો. ૫. પાંચમું વિપ્ન છે અરતિનું. જેમ પ્રિય વિષયોમાં રતિ નહીં કરવાની તેમ અપ્રિય વિષયોમાં અરતિ નહીં કરવાની. અપ્રિય-અનિષ્ટ વિષયોના સંયોગમાં ઉદ્વિગ્ન નહીં બનવાનું. ઉદ્વિગ્નતા એ પણ અસ્વસ્થતા છે. અસ્વસ્થતા એ માનસિક દુઃખ છે. વિષયોમાં સારાપણું નથી કે નરસાપણું નથી. જીવાત્મા એમાં સારાપણાની અને નરસાપણાની કલ્પનાઓ કરે છે. એ કલ્પનાઓ પણ બદલાતી રહે છે. સારો વિષય નરસો લાગે છે. નરસો વિષય સારો લાગે છે. આ તાત્ત્વિક સમજને હૃદયસ્થ કરનાર તત્ત્વજ્ઞાની અરતિમાં શેકાતો નથી. ૬. છછું વિપ્ન છે શોકનું. મનુષ્યને-સાધકને પ્રિય વ્યક્તિ કે પ્રિય વસ્તુનો વિરહ-વિયોગ થાય એટલે કે વસ્તુ કે વ્યક્તિ જતી રહે ત્યારે શોક ન થવો જોઈએ. “સંયોગો અનિત્ય છે', આ તત્ત્વને ખૂબ વાગોળવું જોઈએ. પ્રિયજનોના સંયોગ, વૈભવ-સંપત્તિના સંયોગ, વિષય સુખોના સંયોગ... આ બધાં સંયોગ અનિત્ય છે. જે અનિત્ય હોય તેનો વિયોગ થાય જ.’ આ વિચાર દૃઢ કરો. રોગથી શરીર ઘેરાઈ જાય, યૌવન ચાલ્યું જાય, મૃત્યુના જમ સામે દેખાય, એ વખતે પણ શોકાતુર ન બનો. આંખો આંસુભીની ન કરશો. એ બધું આ સંસારમાં સ્વાભાવિક જ છે માટે સ્વસ્થ રહેવાનું. ૭. સાતમું વિઘ્ન છે ભયનું. સાધકે ભય પર વિજય મેળવવો જોઈએ. નિર્ભયતા વિના સુખ નથી કે શાન્તિ નથી. શા માટે સાધકે ભય રાખવાનો? સાધકનું શું લૂંટાઈ જવાનું છે? જે ખરેખર જ્ઞાનાદિ સંપત્તિ છે, તેને કોઈ ચોરી જઈ શકે એમ નથી. જે ખરેખર તમારું નથી, એ લૂંટાઈ જાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે જ્ઞાતા બનો, દ્રષ્ટા બનો. તમારી આસપાસ જે કંઈ બની રહ્યું હોય, તમે જ્ઞાનદૃષ્ટિથી માત્ર જોયા કરો. રાગ-દ્વેષ કર્યા વિના જોયા કરો. પછી તમારે ગભરાવાનું રહેશે નહીં. તમારે દુનિયા પાસેથી શું લઈ લેવાનું છે? તમારે દુનિયાને શું આપી દેવાનું છે? તમારે દુનિયાથી શું છૂપાવવાનું છે? મહાનુભાવ, તમારે કોનો ભય છે? આ સૃષ્ટિમાં જે બનવાનું છે તે બનશે જ. જે ભાવો નિશ્ચિત છે, તે ભાવોને કોઈ બદલી શકતું નથી. આ સિદ્ધાન્તને આત્મસાત્ કરી લો. ગમે તેવું ભયપ્રેરક નિમિત્ત તમારી સામે આવે, તમારું રુંવાડું પણ For Private And Personal Use Only
SR No.008911
Book TitleLay Vilay Pralay
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages283
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy